ક્રિસ્ચન બોયફ્રેન્ડ વિશે એવું એવું રાઝ ખોલ્યું કે જાણીને દંગ રહી જશો
બિગ બોસના સીઝનમાં અભિનેત્રી રશ્મિ દેસાઈનું બ્રેકઅપ થયું હતું અને વિશાલ આદિત્ય સિંહ અને મધુરિમા તુલીની વચ્ચે પણ લડાઈ થઇ હતી અને આજે બંન્ને ઘરથી બેઘર થઇ ગયા છે. જો કે બિગ બોસમાં બ્રેકઅપ થવું અને ફરીથી પેચ અપ થવાની બાબતો સામાન્ય બની ગઈ છે.
View this post on Instagram
થોડા સમય પહેલા જ બિગ બોસની પૂર્વ કંટેસ્ટેંટ સના ખાને પણ પોતાના બોયફ્રેન્ડ સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. સના ખાન બિગ બોસ સીઝન-8 ની કંટેસ્ટેંટ રહી ચુકી છે. આ સિવાય સના ખાને અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ ‘જય હો’ માં પણ કામ કર્યું છે.
View this post on Instagram
સના ખાનનું પોતાના બોયફ્રેન્ડ મેલ્વિન લુઈસ સાથે બ્રેકઅપ થઇ ગયું છે. આ વાતની જાણકારી સનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી.
View this post on Instagram
પોસ્ટ શેર કરવાની સાથે સનાએ કૈપ્શનમા લખ્યું કે,”આ મારા માટે પહેલી વાર છે અને મને સાચું બોલવા માટે હિંમતની જરૂર પડી છે. કેમકે અહીં ઘણા લોકો હતા જેઓ આ સંબંધમાં વિશ્વાસ કરતા હતા અને તેઓએ ખુબ પ્રેમ અને સન્માન દેખાડ્યું, પણ દુર્ભાગ્યથી મને ત્યાંથી સન્માન ન મળ્યું જ્યાથી મને મળવું જોઈતું હતું.”

સના આગળ કહે છે કે,”આ વ્યક્તિ ખરાબ છે હું તેની ઘૃણા કરું છું. દુર્ભાગ્યવશ મને આ વાત એક વર્ષ પછી ખબર પડી કેમ કે હું તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી. મૈં મારા માટે આ પગલું લીધું કેમ કે જો હું આ નિર્ણય ન લેત તો કોઈપણ લઇ શકે તેમ નથી. તે એક દગાબાજ અને ખોટો વ્યક્તિ છે અને તે બધા સાથે પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા માટે આવું જ કરે છે. આ એકદમ સાચી માહિતી છે.”

આ સિવાય સનાએ એવું પણ કહ્યું કે મારી સાથે મેં-જૂન મહિનામાં દગો થયેલો છે અને મને એ પણ ખબર છે કે તે કઈ છોકરીને લીધે મને દગો આપી રહ્યો છે પણ હું તેનું નામ જાહેર કરવા નથી માંગતી.”

જણાવી દઈએ કે સના આગળના એક વર્ષથી કોરિયોગ્રાફર અને ડાન્સર મેલ્વિન લુઈસ સાથે ડેટ કરી રહી હતી.આ વર્ષની શરૂઆતમાં જ તેનું બ્રેકઅપ થઇ ગયું છે. સનાએ બ્રેકઅપ પછી થોડા સત્ય સુધી બોલીવુડમાં કામ કર્યું હતું. બાદમાં ધર્મના માર્ગે વળવા માટે બોલીવુડને અલવિદા કહી દીધું હતું. જણાવી દઈએ કે સના ખાને એક પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાણકારી આપી હતી.
View this post on Instagram
સના ખાને લખ્યું હતું કે, “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે અને તે ત્યારે સારું રહેશે જ્યારે માણસ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ માટે નહીં, પરંતુ તેને જન્મ આપનારાના હુકમ પ્રમાણે જીવે.ગુનાના જીવનમાંથી બચવાને બદલે મારે માનવતાની રક્ષા કરવી જોઈએ. તેથી જ આજે હું જાહેર કરું છું કે આજથી જ હું મારું ‘શોબિઝ” ને છોડીને માણસાઈ અને જન્મ આપનારા હુકમ પર ચાલવાનો ઈરાદો પાકો કરી લીધો છે.
View this post on Instagram
સના ખાન અને અનસ સૈયદને 20 નવેમ્બરના રોજ લગ્ન કર્યા. આ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું હતું કે, “અલ્લાહ માટે એક બીજાને પ્રેમ કર્યો, અલ્લાહ માટે લગ્ન કર્યા, અલ્લાહ આપણને આ દુનિયામાં સાથે રાખે અને સ્વર્ગમાં ફરી મળી શકે.” મુફ્તી અનસ ગુજરાતના સુરતનાં છે અને તે ધાર્મિક નેતા અથવા ઇસ્લામિક વિદ્વાન છે. તે વ્યવસાયે વેપારી પણ છે.
View this post on Instagram