સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી સોશિયલ મીડિયા પર બોલીવુડના વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. ટ્વીટર પર કલાકારોના વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આવા કલાકારોમાં અભિનેતા સલમાન ખાન પર લોકોનો વધારે પડતો જ આક્રોશ છે. આ વચ્ચે સલમાન ખાને હવે પોતાની ચુપ્પી તોડી છે.

સલમાન ખાને ટ્વીટર પર લખ્યું કે,” હું મારા દરેક ચાહકોને નિવેદન કરું છું કે તેઓ સુશાંતના ચાહકોની સાથે ઉભા રહે અને ખોટી ભાષાનો ઉપીયોગ ન કરો. ભાવનાઓને સમજવાની કોશિશ કરો. આ મુશ્કિલ સમયમાં સુશાંતના પરિવારનો સહારો બનો. કોઈ પોતાનાનું ચાલ્યા જવું ખુબ દુઃખ આપનારું હોય છે”.
A request to all my fans to stand with sushant’s fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.
— Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020
સુશાંતના નિધન પછી ઘણી જગ્યાઓ પર સલમાન ખાનના પૂતળા સળગાવવામાં આવી રહ્યા છે. બિહારમાં તેના બિંગ હ્યુમન શો રૂમથી તેની તસ્વીરો હટાવી દેવામાં આવી છે. આ સિવાય જે જગ્યાઓ પર સલમાનના પોસ્ટર લગાવેલા હતા તેને પણ ઉતારી લેવામાં આવ્યા છે.

આ સિવાય અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે સલમાન અને તેના પરિવાર પર ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનવનું કહેવું છે કે ફિલ્મ દબંગના દરમિયાન સલમાન અને તેના પરિવારે તેની સાથે ખુબ જ નાઇન્સાફી કરી છે. અને તેની હાલત એવી થઇ ગઈ છે કે તેને ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ નથી આપતું.

ફિલ્મ સ્ટાઇલના અભિનેતા સાહિલ ખાને પણ કહ્યું હતું કે બે મોટા ખાન સ્ટાર્સ સાથે મેગેઝીનમાં મારી તસ્વીર છાપવામાં આવી હતી અને આજ વાત એક ખાનને ખરાબ લાગી ગઈ અને તેણે મને ફિલ્મ માંથી કઢાવી નાખ્યો હતો.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.