સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું હાર્ટ એટેક મૃત્યુ નથી થયું પણ….પોલીસ તપાસમાં મોટો ખુલાસો

હરિધામ સોખડા સ્વમિનારાયણ મંદિર ગુણાતીત સ્વામીનું ગઈકાલે અચાનક જ મૃત્યુ થયું હતું. મૃત્યુ કઈ રીતે થયું તે હરિભાતકોનો જાણવા માંગતા હતા. ઘણા લોકો વિચારતા હતા કે આ કદાચ મર્ડર હોઈ શકે કે પછી કે તેમણે આત્મહત્યા કરી છે કે હાર્ટ એટેક આવ્યો હશે? જો કે આખરે આ પ્રશ્નનો જવાબ સામે આવી ગયો છે. પોલીસ તાપસમાં ખુલાસો થયો છે કે ગુણાતીત અંતે આત્મહત્યા કરી હતી.

ગઈકાલે 27 એપ્રિલે સાંજે 7 થી 7.15 વચ્ચે ગુણાતીત સ્વામીએ પોતાના રૂમની અંદર આત્મહત્ય કરી હતી. આ સંતે પોતાના રૂમમાં હુંક પર લટકી આત્મહત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પોલીસે ગુણાતીત સ્વામીનું ગાતરિયુ, મોબાઈલ ફોન કબ્જે લીધા, આ સાથે પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું પણ ખૂલ્યું છે.આ સાથે અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગી સાંસારિક જીવનમાં પાછા ફરવાનો પણ વિચાર કરતા હોવાનું ખુલ્યું છે.

પોલીસે પ્રભુપ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનોથી લઈને સ્વામિનારાયણ મંદિરના સેવકોની પૂછપરછ કરી હતી. કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી શરૂ છે. જો કે પ્રભુપ્રિય સ્વામીએ પોલીસ સમક્ષ લુલો બચાવ કરતા કહ્યું હતું કે ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત પોલીસથી છુપાવી હતી.

આ અંતના મૃત્યુ બાબતે કરાયેલી રજૂઆત બાદ પોલીસે અંતિમ ક્રિયા અટકાવી હતી. પછી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો. હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને DSPને રજૂઆત કરી હતી જે બાદ પોલીસની ટીમે અરજન્ટ અંતિમ ક્રિયાના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમગ્ર મેટરમાં SSG હોસ્પિટલમાં સંત ગુણાતીત સ્વામીના પાર્થિવ દેહનું પોસ્ટમોટર્મ કરવામા આવ્યું હતું. સિનિયર તબીબોની પેનલે પોસ્ટમોટર્મનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસનો રિપોર્ટ સુરતમાં મોકલવામાં આવ્યો હતો. સંત ગુણાતીત સ્વામીનો પાર્થિવ દેહને સોખડા ખાતે લાવવાની તજવીજ હાથ ધરાઇ હતી.

YC