ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં હજુ પણ કોઈ સુધાર નથી આવ્યો. તે સતત ત્રીજા દિવસે પણ વેન્ટિલેટર ઉપર છે ત્યારે તેમની સલામતી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ગુરુવારે સવારે જ અચાનક તેમના નિધનના સમાચાર આવ્યા હતા. જે એક ખોટી અફવા હતી. ત્યારબાદ તેમના દીકરા અભિજીત મુખર્જી અને દીકરી શર્મિષ્ઠા આ અફવાનું ખંડન કર્યું હતું અને પ્રણવ મુખર્જીની હાલત સ્થિર છે તેવું જણાવ્યું હતું.

પ્રણવ મુખર્જીના નિધનની અફવાઓથી તેમનો પરિવાર ઘણો જ નારાજ હતો ત્યાર બાદ તેમના દીકરા અભિજીતે ટ્વીટ કરીને જણાવ્યું કે: “મારા પિતા શ્રી પ્રણવ મુખર્જી હજુ જીવિત છે અને હેમોડાયનેમિક સ્થિર છે. પ્રતિષ્ઠિત પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા ઉપર પ્રસારિત કરવામાં આવી રહેલી અટકળો અને ખોટી ખબરોથી ચોખ્ખી રીતે જાહેર થાય છે કે ભારતમાં મીડિયા ફેક ન્યૂઝનું કારખાનું બની ગયું છે.”
My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable !
Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News .— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020
આ વિશે આર્મીના સિસર્ચ અને રેફરલ હોસ્પિટલ દ્વારા પણ જવાબ સામે આવ્યો છે. તેમને ગુરુવારે પ્રણવ મુખર્જીની તબિયતને લઈને જાણકારી શેર કરી હતી. તેમને કહ્યું હતું કે “પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલમાં ગુરુવાર સવારથી કોઈ બદલાવ નથી. તે વેંટીલેટર સપોર્ટ ઉપર જ છે અને તેમને ભાન નથી આવ્યું.”
The condition of former President Pranab Mukherjee remains unchanged this morning. He is deeply comatose with stable vital parameters and continues to be on ventilatory support: Army Research & Referral (R&R) Hospital, Delhi https://t.co/JPhaOOoEvL
— ANI (@ANI) August 13, 2020
પ્રણવ મુખર્જીના અવસાનની અફવાઓને લઈને તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેને ટ્વીટ કરીને કહ્યું કે: “મારા પિતાની હાલત વિશેની અફવાઓ ખોટી છે. બધાને વિનંતી છે, ખાસ કરીને મીડિયાને કે મને કોલ ના કરે.”
Rumours about my father is false. Request, esp’ly to media, NOT to call me as I need to keep my phone free for any updates from the hospital🙏
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 13, 2020
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.