રેડિયો મિર્ચી પર લાઇવ શો માટે જાણીતી સૌથી લોકપ્રિય આરજે રચનાનું મંગળવારે નિધન થયું છે. તેણી ફક્ત 39 વર્ષની હતી અને કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણીએ છેલ્લા શ્વાસ લીધા હતા. તેણીના દુઃખદ અવસાનથી ઇન્ડસ્ટ્રીમાં આઘાતની લહેર ફેલાઈ ગઈ છે કારણ કે ઘણા લોકોને આ સમાચાર પચાવવામાં મુશ્કેલી પડી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રચનાએ બેંગલુરુના જેપી નગર સ્થિત તેના ઘરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તે બચી શકી ન હતી. RJના નિધન પર શોક વ્યક્ત કરતા અભિનેત્રી શ્વેતાએ પોસ્ટ પણ લખી હતી.
તે મારી ફેવરિટ આરજે માની એક હતી. ઘણી સમજદાર અને ભાષા પર તેની પકડ ખુબ સારી હતી. હું પહેલા એને ક્યારેય વ્યક્તિગત રૂપે નથી મળી, મને નિરાશા મેહસૂસ થઇ રહ્યું છે કારણ કે મને તેને મળવાનો મોકો ક્યારેય નથી મળ્યો. મને જાણીને ઘણું દુઃખ થયું કે તે હવે આ દુનિયામાં નથી રહી.
તેમજ, રચનાના સાથી આરજે અને ડાન્સિંગ સ્ટાર સીઝન 1 ના પ્રતિયોગી આરજે પ્રદીપે પણ પોતાની મિત્રના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઇન્સ્ટાગ્રામમાં તેને થ્રો બેક તસવીરો શેર કરી હતી અને તેમાં કેપ્શન પણ આપ્યુ હતુ.
આરજેના નિધન પર શોક વ્યક્ત કરતા અભિનેત્રી શ્વેતા ચાંગપ્પાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું, “તે મારા પ્રિય આરજેમાંથી એક હતા. ખૂબ જ બુદ્ધિશાળી, તેમની ભાષાની કમાન્ડ ખૂબ સારી હતી. હું તેને પહેલા ક્યારેય અંગત રીતે મળી નથી. નિરાશા અનુભવું છું કારણ કે મને તેને મળવાનો મોકો નહીં મળે. મને એ જાણીને ખૂબ દુઃખ થયું છે કે તે હવે નથી.
Shocked and saddened to hear about the sudden demise of popular RJ #Rachana from Bengaluru.#RJRachana became a household name among Bengalureans in the last decade with her unique sense of humor.
May God give strength to her family, fans, and loved ones.
Om Shanti. pic.twitter.com/Dudxf3RoFT
— P C Mohan (@PCMohanMP) February 22, 2022
રચનાના પાર્ટનર આરજે અને ડાન્સિંગ સ્ટાર સીઝન 1ના સ્પર્ધક આરજે પ્રદીપે પણ તેમના મિત્રના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર શેર કરતાં પ્રદીપે લખ્યું, તમારી આત્માને શાંતિ મળે આરજે રચના. તે ચોક્કસપણે નમ્મા બેંગલોરની શ્રેષ્ઠ જોકીઓમાંની એક હતી. આટલી નાની ઉંમરે હાર્ટ એટેક, શું છે?
You will be fondly remembered #RJRachana! Sending my deepest condolences to the family. Om shanti! pic.twitter.com/H5wRr70L7k
— Rakshit Shetty (@rakshitshetty) February 22, 2022
આ સિવાય પૂર્વ આરજે અને અભિનેત્રી સુજાતા અક્ષયે પણ રચનાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીરો શેર કરતા તેણે લખ્યું, વિશ્વાસ નથી કરી થતો. ઓમ શાંતિ. અમારી મિત્રતા હંમેશા યાદ રહેશે. આ સિવાય કન્નડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય ઘણા કલાકારોએ પણ આરજે રચનાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.