બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું આજે 67 વર્ષની વયે અવસાન થયું છે. કેન્સર સામે લડી રહેલા ઋષિ કપૂરને લઈને ગઈરાત્રે ખબર આવી હતી કે શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના નિધનને કારણે તેમના ચાહકો ખૂબ જ દુઃખી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું – ‘બહુઆયામી, પ્રિય અને જીવંત… આવા હતા ઋષિ કપૂર. તે ટેલેન્ટના પાવરહાઉસ હતા. હું હંમેશા તેમની સાથેની મારી વાતચીતને યાદ રાખીશ, ખાસ કરીને હંમેશાં સોશિયલ મીડિયા પર. તેઓ ફિલ્મો અને ભારતની પ્રગતિ માટે ઉત્સાહી હતા. તેમના નિધનથી દુઃખી છું. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.’
Multifaceted, endearing and lively…this was Rishi Kapoor Ji. He was a powerhouse of talent. I will always recall our interactions, even on social media. He was passionate about films and India’s progress. Anguished by his demise. Condolences to his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) April 30, 2020
ગયા વર્ષે જયારે ઋષિ કપૂર અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહયા હતા એ દરમ્યાન જ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભાજપને પ્રચંડ જીત મળી હતી. એ દરમ્યાન અભિનેતા ઋષિ કપૂરે પણ ટ્વીટ કરીને મોદી સરકાર સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
My sincerest wish,desire and request to the re-elected @BJP4India @arunjaitley @smritiirani and the honourable PM @narendramodi ji. Please work upon getting India free Education, Medical, Pension etc..It’s difficult but if you start working on today,we will achieve one day! 🇮🇳
— Rishi Kapoor (@chintskap) May 26, 2019
ઋષિ કપૂરે જે ઈચ્છાઓ વ્યક્ત કરી હતી, એ વ્યક્તિગત નહિ પણ દેશના ગરીબ પરિવારોને લાભ પહોંચાડવા માટેની હતી. ઋષિ કપૂરે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી, અરુણ જેટલી અને સ્મૃતિ ઈરાનીને મફત શિક્ષણ, મેડિકલ અને પેંશન જેવા મુદ્દાઓ પર કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમને લખ્યું હતું કે આ કામ મુશ્કેલ છે, પણ જો તમે અત્યારે આના પર કામ કરશો તો એક દિવસ ચોક્કસ મળી જશે.
You all have a refreshed good five year tenure to go. Please think about this also. We will set examples to Humanity all over @BJP4India @arunjaitley @smritiirani and the PM @narendramodi ji. Please excuse me if I have over stepped but being a citizen I feel my duty to voice it.
— Rishi Kapoor (@chintskap) May 26, 2019
તેમને બીજી ટ્વીટમાં કહ્યું હતું કે આપણા યુવાઓને એજ્યુકેટ કરશો તો એમને સારી નોકરી મળશે અને એક સાચા લોકતંત્રમાં નોટબંધી, કાઉ સ્લોટર બેન, એન્ટી સેક્યુલર જેવા મુદ્દા ન હોવા જોઈએ.
After all this is the India we Indians want to see and the whole world envy. Literacy will give the educated youth decent jobs and the sick a full life. A true Democracy-a chance. Demonetisation,cow slaughter ban,anti secular etc…are no answers in my humble opinion! Jai Hind 🇮🇳
— Rishi Kapoor (@chintskap) May 26, 2019
ઋષિ કપૂરે આગળ લખ્યું હતું કે ‘તમારી પાસે પૂરા નવા 5 વર્ષ છે. આ વિશે વિચારો અને આખી માનવ જાતિ સામે ઉદાહરણ પૂરું પાડો. મને માફ કરજો, જો હું વધુ બોલી ગયો હોઉં તો, પણ એક નાગરિક હોવાના નાતે અવાજ ઉઠાવવાનું મારું કર્તવ્ય છે.’
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.