બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓમાં પેટ વધવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઇ ગઈ છે. મોટાભાગની મહિલાઓ બાળકને જન્મ આપ્યા બાદ વધેલા વજનથી પરેશાન રહેતી હોય છે અને વધેલા પેટને ઘટાડવા માટે પ્રયાસો કરતી રહે છે. પરંતુ એ કરવું મહિલાઓ માટે થોડું મુશ્કેલ થઇ જાય છે. કારણ કે બાળકના જન્મ બાદ મહિલાઓનું શરીર થોડું નબળું પડી જાય છે. એટલે જ ગર્ભાવસ્થા બાદ વધેલા પેટને ઘટાડવા માટે ઉતાવળ ન કરવી જોઈએ કે ન તો કોઈ દવાઓનો ઉપયોગ કરવો કે જેથી તમારા અને બાળકના સ્વાસ્થ્ય પર ખોટી અસર પડે.

તમે ઘરેલુ કેટલાય ઉપાયો નિયમિત રીતે અપનાવીને પોતાનું પેટ ઓછું કરી શકો છો, જે માતા અને બાળક બંને માટે સુરક્ષિત તો હોય છે સાથે જ અસરકારક પણ હોય છે. પરંતુ સૌથી પહેલા એ જાણી લેવું જોઈએ કે બાળક થયા પછી વધેલું વજન ઓછું કરવું શા માટે જરૂરી છે? સૌથી પહેલી વાત કે એ તમારા સારા સ્વાસ્થય માટે જરૂરી છે.

વજન ઘટાડવાથી સ્વસ્થ રહેશો અને ટાઇપ -2 ડાયાબિટીઝ અને હાર્ટ પ્રોબ્લેમ્સ જેવી સમસ્યાથી બચી શકશો. સાથે જ જો તમે ભવિષ્યમાં ફરીથી ગર્ભાવસ્થા વિશે વિચારી રહ્યાં છો, તો પણ વજન ઓછું કરવું મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ, થોડું વધારે વજન તમને ‘ઓવરવેટ’ ની કેટેગરીમાં લાવી દે છે. આને કારણે, તમારું વધેલું વજન તમારી આગામી ગર્ભાવસ્થામાં જોખમ બની શકે છે.
તો આજે જાણીએ કે કયા એવા ઉપાયો છે કે જેને અપનાવીને સરળતાથી વજન પણ ઘટાડી શકાય છે અને નુકશાન પણ નથી થતું –
– બાળકને સ્તનપાન જરૂર કરાવો. એક અભ્યાસ મુજબ, સ્તનપાન કરાવવાથી શરીરમાં હાજર ફેટ સેલ્સ અને કેલરી બંને મળીને દૂધ બનાવવાની પ્રક્રિયા બનાવે છે. જેનાથી કંઈ પણ કર્યા વિના વજન ઓછું થાય છે.

– નિયમિત આહાર લો, વજન ઘટાડવાની પ્રક્રિયામાં તમે તમારા આહારનું સેવન ઘટાડવાનો વિચાર કરી રહયા હોવ તો પરંતુ એવું બિલકુલ ન કરો. આવું કરવાથી નબળાઇ આવી છે અથવા સ્થૂળતામાં વધારો થઈ શકે છે. તેથી, ખોરાક ઓછો ન કરશો, પણ તંદુરસ્ત ખોરાક લો.
– સાથે જ દિવસમાં એકસાથે જ બધું ખાવાના બદલે દિવસમાં છ વાર થોડું-થોડું કરીને ખાઓ. થોડું થોડું ખાવાથી તમારું પાચનતંત્ર સારું રહેશે. બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે નિયમિત રીતે સમય-સમય પર ખાવાનું ખાઈ લો. કોશિશ કરો કે રાતનું ખાવાનું 7થી 8 વાગ્યાની વચ્ચે ખાઈ લો, જેથી ઊંઘતા પહેલ ખાવાનું સારી રીતે પછી જાય. આનાથી તમારું પાચનતંત્ર મજબૂત થાય છે અને મેટાબોલિઝમ વધે છે. જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. જો રાતે મોડે સુધી જાગતા હોવ તો એક ગ્લાસ દૂધ કે એક કપ ગ્રીન-ટી પી શકાય.

– ઓછી કેલરીવાળો ખોરાક લો. એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જે તમને પોષણ આપે અને જેમાં કેલરી ઓછી હોય. ઓમેગા -3 ફેટી એસિડ્સ, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર યુક્ત વસ્તુઓ જેવી કે ઇંડા, ચિકન, લિન મીટ, ટુના અને સાલ્મોન, માછલી, કઠોળ અને સાબૂત અનાજ જેવો ખોરાક લો.
-સમજી વિચારીને નાસ્તો કરવો, સ્તનપાન કરાવતી માતાઓને વારંવાર ભૂખ લાગવી એ સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં, તમને નાસ્તા ખાવાનું મન થશે, પરંતુ તમારે નાસ્તા પણ વિચારીને ખાવા જોઈએ. એવું કંઈપણ ન ખાશો જેનાથી તમારું વજન વધે. તેના બદલે, તમે ઓટ, ડ્રાયફ્રૂટ અને સાબૂત અનાજ ખાઈ શકો છો.

– જ્યારે પણ તમને કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તમે દહીંથી બનેલ ડેઝર્ટ ખાઈ શકો છો. જો તમે ઇચ્છો, તો તમે દહીંમાં ફ્રૂટ્સ નાખીને ફ્રિજમાં ઠંડુ કરીને ખાઈ શકો છો.
– જમ્યા પહેલા પાણી પીવો, જો ખાધા પછી તમારું પેટ ફૂલવા લાગે છે, તો પછી જમતા પહેલાં ધીરે ધીરે એક ગ્લાસ પાણી પી લો.

– પોતાને હાઇડ્રેટેડ રાખવું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ માટે, તમારે દિવસમાં આઠથી 10 ગ્લાસ પાણી પીવું આવશ્યક છે. આ તમારા શરીરમાંથી ઝેર દૂર કરશે અને વજન ઘટાડવામાં સરળતા રહેશે. બાળકને જન્મ આપ્યા પછી, પીવા માટે ફક્ત ગરમ પાણીનો ઉપયોગ કરો. કારણ કે હૂંફાળું પાણી માત્ર પેટને જ ઓછું નથી કરતું, પરંતુ તે શરીરમાં ચરબી જમા થવાથી પણ રોકે છે.
– પેટની ચરબી ઘટાડવા માટે, તમારા પેટને ગરમ કપડા અથવા પટ્ટાથી લપેટીને રાખો. તમે પેટ પર બાંધવા માટે આવતો ખાસ પટ્ટો પણ વાપરી શકો છો. આ ખૂબ અસરકારક સાબિત થાય છે. તે પેટને સામાન્ય આકારમાં લાવવાનું કામ કરે છે અને તે ગર્ભાવસ્થા પછી કમરના દુઃખાવામાં પણ રાહત આપે છે. ડોકટરો પણ તેના ઉપયોગની સલાહ આપે છે.

– આળસ છોડીને ચાલવાનું શરુ કરો. તમારા રોજિંદા જીવનમાં ચાલવું જરૂર સામેલ કરો. આનાથી વજન ઘટે છે. તમે પાર્કમાં થોડીવાર ફરી શકો છો. પહેલા દિવસે થોડું ચાલો અને પછી ધીરે-ધીરે ચવાણું અંતર વધારતા જાઓ. આનાથી તમારી આળસ ખતમ થશે અને વજન ઘટાડવામાં સરળતા રહેશે. આ સૌથી સુરક્ષિત કસરત છે.

– ઊંઘ પુરી લો, જો કે બાળકના જન્મ પછી આઠ કલાક સતત ઊંઘ લેવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તમારે ભરપૂર ઊંઘ લેવી પડશે. આ માટે તમે ઘરનાં અન્ય કામો બીજા સભ્યોને આપી શકો છો અને એ સમયમાં સૂઈ શકો છો જ્યારે તમારું બાળક પણ સૂઈ રહ્યું હોય.
– તણાવથી દૂર રહો, એમાં કોઈ શંકા નથી કે વજન વધાવાનું મુખ્ય કારણ તણાવ હોય છે. તેથી, પોતાને શક્ય તેટલું તણાવથી દૂર રાખો અને હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરો.

– બાળકને જન્મ આપ્યા બાદ, પેટની ચરબી ઘટાડવા માટે જરૂરી છે કે તમે કેફીનથી દૂર રહો. પણ જો તમને ચા કે કોફી પીવાની ઈચ્છા થતી હોય તો એક કપ ગ્રીન ટી પી શકાય છે. ગ્રીન ટી વજન ઘટાડવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે. આ એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આનાથી માતા કે બાળકના સ્વાસ્થ્યને કોઈ જ નુકશાન નથી થતું અને વજન ઓછું થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.