રતન ટાટા પછી ટાટા ગ્રૂપ કોણ સંભાળશે? જાણો કેવી રીતે થશે નવા વારસદારની શોધ, કોણ છે રેસમાં સૌથી આગળ

રતન ટાટાના અવસાન બાદ ટાટા જૂથનું ભવિષ્ય: નવા વારસદારની શોધ

ટાટા જૂથના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. રતન ટાટા પોતાની પાછળ એક વિશાળ વારસો છોડી ગયા છે. એક અંદાજ મુજબ ટાટા જૂથની કુલ સંપત્તિ આશરે 165 અબજ અમેરિકી ડોલરની છે. રતન ટાટાના અવસાન બાદ હવે ચર્ચા એ વાતની છે કે તેમનો વારસો કોણ સંભાળશે.

ટાટા જૂથના બે મુખ્ય ટ્રસ્ટ છે – સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ. આ બંને ટ્રસ્ટની સંયુક્ત રીતે ટાટા જૂથની મૂળ કંપની ટાટા સન્સમાં આશરે 52 ટકા હિસ્સેદારી છે. ટાટા સન્સ ટાટા જૂથની કંપનીઓનું સંચાલન કરે છે. આ જૂથ વિમાનનથી લઈને FMCG સુધીના પોર્ટફોલિયોને સંભાળે છે. રતન ટાટાએ પોતાનો વારસદાર નિયુક્ત કર્યો ન હતો. આવી સ્થિતિમાં તેમના ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાંથી જ એક અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. બંને ટ્રસ્ટમાં કુલ 13 ટ્રસ્ટી છે. તેમાંથી કેટલાક લોકો બંને ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. આમાં પૂર્વ રક્ષા સચિવ વિજય સિંહ, ઓટોમોબાઈલ ક્ષેત્રના દિગ્ગજ વેણુ શ્રીનિવાસન, રતન ટાટાના સાવકા ભાઈ અને ટ્રેન્ટના ચેરમેન નોએલ ટાટા, વ્યવસાયી મેહલી મિસ્ત્રી અને વકીલ ડેરિયસ ખંબાટાના નામ સામેલ છે.

ટાટા ટ્રસ્ટના પ્રમુખની પસંદગી ટ્રસ્ટીઓમાંથી બહુમતીના આધારે થાય છે. વિજય સિંહ અને વેણુ શ્રીનિવાસન આ બંને ટ્રસ્ટના ઉપાધ્યક્ષ છે. પરંતુ તેમાંથી કોઈ એકના પ્રમુખ તરીકે પસંદગી થવાની સંભાવના અપેક્ષાકૃત ઓછી છે. જે વ્યક્તિને ટાટા ટ્રસ્ટના પ્રમુખ બનાવવાની વધુ સંભાવના છે, તે છે 67 વર્ષના નોએલ ટાટા. નોએલની નિયુક્તિથી પારસી સમુદાય પણ ખુશ થશે. રતન ટાટા પારસી હતા. આનાથી એ પણ સુનિશ્ચિત થશે કે એક પારસી આ સંગઠનનું નેતૃત્વ કરે.

એક ઐતિહાસિક તથ્ય એ પણ છે કે માત્ર પારસીઓએ જ ટાટા ટ્રસ્ટની કમાન સંભાળી છે. જો કે કેટલાકના નામમાં ટાટા નથી લાગ્યું અને તેમનો ટ્રસ્ટના સંસ્થાપક પરિવાર સાથે કોઈ સીધો સંબંધ નહોતો. જો નોએલ ટાટા આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પસંદ થાય છે, તો તેઓ સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા અધ્યક્ષ અને સર રતન ટાટા ટ્રસ્ટના છઠ્ઠા અધ્યક્ષ બનશે.નોએલ ચાર દાયકાથી વધુ સમયથી ટાટા જૂથ સાથે જોડાયેલા છે. તેઓ ટ્રેન્ટ, ટાઈટન અને ટાટા સ્ટીલ સહિત છ મુખ્ય કંપનીઓના બોર્ડમાં છે. તેમને 2019માં સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2022માં સર દોરાબજી ટાટા ટ્રસ્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ટાટાના કાર્યકાળ પૂરો થયા બાદ એવું માનવામાં આવતું હતું કે તેઓ ટાટા સન્સના ચેરમેનનું પદ સંભાળશે. પરંતુ તે પદ પર નોએલના બનેવી સાયરસ મિસ્ત્રીને બેસાડી દેવામાં આવ્યા હતા. ટાટા સન્સમાંથી સાયરસ મિસ્ત્રીને કાઢી મૂકવામાં આવ્યા બાદ ટાટા સન્સના અધ્યક્ષની કમાન TCSના CEO એન ચંદ્રશેખરને સંભાળી. નોએલ અને રતન ટાટા ક્યારેય એક સાથે જોવા મળ્યા નહોતા. બંનેએ પોતાની વચ્ચે અંતર જાળવી રાખ્યું હતું. જોકે, રતન ટાટાના અંતિમ દિવસોમાં તેમના સાવકા ભાઈ સાથેના સંબંધો ઘણા મધુર થઈ ગયા હતા.

Parag Patidar