લોકડાઉનના કારણે રામાનંદ સાગરની રામાયણ એકવાર પ્રસારિત કરવામાં હતી. રામાયણે દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 16 એપ્રિલના રોજ પ્રસારિત થયેલો એપિસોડ વિશ્વભરના સાત કરોડથી પણ વધુ લોકોએ જોયો હતો. ‘ગેમ્સ ઓફ થ્રોન’ કરતાં પણ ‘રામાયણ’ સિરિયલ વધુ જોવાઈ હતી. આ બંને શોને કારણે દૂરદર્શનની વ્યૂઅરશિપમાં વધારો થતા દૂરદર્શન નંબર વન ચેનલ બની ગઈ હતી.

રામાનંદ સાગરની ‘રામાયણ’ આજથી એટલે કે ચાર મેથી સાંજે સાડા સાત વાગે સ્ટાર પ્લસ પર રજૂ કરવામાં આવશે. ચેનલ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું હતું.
Ayodhya ke vaasi, purusho mein sarvotam, sabke priy maryada purushottam Shri Ram ki kahaani #Ramayan..
4 May se, Somvaar se Ravivaar shaam 7:30 baje StarPlus par. #RamayanOnStarPlus@arungovil12 @LahriSunil @ChikhliaDipika pic.twitter.com/Hpg38bVxpw— StarPlus (@StarPlus) May 3, 2020
બીજી તરફ બી આર ચોપરાનો શો ‘મહાભારત’ પણ દૂરદર્શન બાદ હવે કલર્સ ચેનલ પર આજથી એટલે કે ચાર મેથી રોજ સાંજે સાત વાગે ટેલીકાસ્ટ કરવામાં આવશે.
Shuru ho raha hai Bharat ka sabse etihasik mahayudh, #Mahabharat. Dekhiye #MahabhartOnColors har din shaam 7 baje, sirf #Colors par. pic.twitter.com/KZvcCArgu8
— COLORS (@ColorsTV) May 4, 2020
જણાવી દઈએ કે, 24 માર્ચના રોજ પહેલું લૉકડાઉન જાહેર થતા જ ‘રામાયણ’ તથા ‘મહાભારત’નું પુનઃપ્રસારણ કરવાની જાહેરાત કરી હતી. 28 માર્ચથી ‘રામાયણ’ ડીડી નેશનલ પર સવારે 9 વાગે અને રાત્રે 9 વાગે ટેલીકાસ્ટ થતું હતું. જ્યારે ‘મહાભારત’ ડીડી ભારતી પર 28 માર્ચથી બપોરે 12 વાગે અને સાંજે સાત વાગે આવતું હતું.