પ્રધાનમંત્રી સાથે જેમની તસવીર થઇ હતી વાયરલ તેમના આલીશાન ઘરની તુલના થાય છે અંબાણીના એંટીલિયાથી, કિંમત સાંભળી હોંશ ઉડી જશે

14 માળના મહેલમાં રહેશે સ્ટોક માર્કેટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા, તસવીરો સાથે જાણો આનાથી જોડાયેલી ખાસ વાતો

રાકેશ ઝુનઝુનવાલાને ભારતીય શેરબજારના બિગ બુલ કહેવામાં આવે છે. તેમણે શેરબજારમાં નાણાંનું રોકાણ કરીને અપાર સંપત્તિ કમાઈ છે. તેથી જ તેમને ભારતીય શેરબજારના ધનકુબેર પણ કહેવામાં આવે છે. રોકાણકાર અને સ્ટોક ટ્રેડર રાકેશ એસેટ મેનેજમેન્ટ ફર્મ રેર એન્ટરપ્રાઇઝના સીઇઓ પણ છે. તેમની કુલ સંપત્તિ 45,400 કરોડ રૂપિયાની આસપાસ છે. બહુ જલ્દી તે મુંબઈના મલબાર હિલમાં બનેલા 14 માળના મકાનમાં રહેવા જઈ રહ્યા છે. તેની સરખામણી અંબાણી પરિવારના એન્ટિલિયા સાથે કરવામાં આવે છે. આ બહુમાળી ઈમારતની કેટલીક તસવીરો તાજેતરમાં ચર્ચાનો વિષય બની હતી.

રાકેશ ઝુનઝુનવાલાનું આ ઘર મુંબઈના સૌથી મોંઘા રહેણાંક વિસ્તાર માલાબાર હિલમાં બનેલ છે, જ્યાંથી અરબી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર આ ઘર ખરીદવા માટે તેમણે બે વાર પૈસા ચૂકવવા પડ્યા હતા. વર્ષ 2013માં રાકેશ અને તેની પત્ની રાખી ઝુનઝુનવાલાએ 7 માળ ખરીદ્યા હતા. આ પછી, 2017માં તેણે બાકીના માળ પોતાના નામે કર્યા. ત્યારથી આ ઘરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.આ ઘરમાં રાકેશ તેમના પરિવાર સાથે રહેશે.

રાકેશ અને તેમની પત્નીનો બેડરૂમ 12મા માળે બનેલો છે. બેડરૂમ સિવાય તેમાં ડ્રેસિંગ રૂમ, લિવિંગ રૂમ અને અલગ બાથરૂમ પણ છે. આ ફ્લોર પર બાલ્કની, પેન્ટ્રી, સલૂન છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે અલગ બાથરૂમ પણ બનાવવામાં આવ્યું છે. તેમનો બાળકોનો બેડરૂમ 11મા માળે છે. ચોથા માળે મહેમાનો માટે બેડરૂમ બનાવવામાં આવ્યા છે. પહેલા, બીજા અને ત્રીજા માળે બેડરૂમ અને સ્ટોરેજ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.આ ઘરનો 10મો માળ પરિવારના સભ્યો સાથેની મુલાકાત અનુસાર બનાવવામાં આવ્યો છે.

અહીં પૂજા ઘર, બાલ્કની, રસોડું અને લિવિંગ રૂમ છે. આ હવેલીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફૂટબોલ કોર્ટ અને પાર્કિંગની જગ્યા છે. તેમના પરિવાર માટે અહીં 7 પાર્કિંગ સ્પેસ બનાવવામાં આવશે. રાકેશ ઝુનઝુનવાલા માટે 9મા માળે એક ઓફિસ પણ બનાવવામાં આવી છે. આ ઘરના ઉપરના માળે એક સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. આ સિવાય આ ઘરમાં બેન્ક્વેટ હોલ, જિમ અને હોમ થિયેટર માટે અલગ જગ્યા રાખવામાં આવી છે.

અહીં શાકભાજીનો બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો છે. બહુમાળી હવેલી હોવાના કારણે આ ઘરની સરખામણી અંબાણી પરિવારના એન્ટિલિયા સાથે કરવામાં આવી રહી છે. અગાઉ 2700 ચોરસ ફૂટના પ્લોટમાં 14 માળના ફ્લેટ હતા. તેમને તોડ્યા પછી એક આલીશાન ઘર તૈયાર કરવામાં આવ્યુ છે. તેમણે તેને 371 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ અહીં રિજવે એપાર્ટમેન્ટ્સ નામની ઇમારત હતી.

Shah Jina