રાજકોટમાં માતા-પિતા વગરની 22 દીકરીઓના લગ્નમાં જોવા મળ્યો રજવાડી ઠાઠ, ધામધૂમથી લગ્ન કરાવીને આખું ઘર ભરાય એટલો આપ્યો કરિયાવર

જે બાળકોના માતા-પિતા નહિ હોય તેમનું જીવન જાણે રંગ વગરનું બની જતું હોય તેમ લાગે, તેમાં પણ ખાસ કરીને એક દીકરી માટે કેટલું મુશ્કેલ બની શકે તેની આપણે કલ્પના કરી શકીએ. પરંતુ આપણા દેશની અંદર ઘણી એવી સંસ્થાઓ છે જે આવા બાળકોની જવાબદારી સ્વીકારે છે. ઘણી દીકરીઓને સારું ભણાવી ગણાવી અને ધામધૂમથી તેમના લગ્ન પણ કરાવવામાં આવે છે.

જેનું એક તાજું જ ઉદાહરણ રાજકોટમાંથી સામે આવ્યું. રાજકોટમાં આવેલા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે પણ “વહાલુડીના વિવાહ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 22 દીકરીઓના ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે અને તે હવે તે પ્રભુતામાં પગલાં માંડશે. આ 22 દીકરીઓમાં એવી દીકરીઓ છે જેમના માતા-પિતા બંને આ દુનિયામાં હયાત નથી તો ઘણી દીકરીઓના પિતા પણ આ દુનિયામાં હયાત નથી.

એવી દીકરીઓ માટે માંડવો શણગારવામાં આવ્યો અને ત્યાં તેમના ધામધૂમથી લગ્ન યોજાયા.આ બાબતે દિવ્યભાસ્કર મીડિયા પ્રમાણે આયોજક મુકેશ દોશીએ જણાવ્યું હતું કે “દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આમ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે.”

“પરંતુ છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતા આજના દિવસે સતત ચોથા વર્ષે જે આયોજન કર્યું છે તે એટલા માટે કે વહાલુડીના વિવાહ કાર્યક્રમ અમારા સૌનો પ્રિય કાર્યક્રમ છે. અત્યાર સુધી કુલ 88 દીકરીઓ કે જેમને માતા-પિતા બંને હયાત નથી અથવા તો પિતા હયાત નથી તેવી દીકરીઓને પરણાવી છે. આજે વધુ 22 દીકરીઓનો લગ્નોત્સવ યોજાઇ રહ્યા છે.”

ત્યારે 171 કાર્યકર્તાની દોઢ મહિનાની મહેનત બાદ વહાલુડીના વિવાહ શરૂ થતા અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.”તેમને એમ પણ જણાવ્યું કે, “જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે વહાલુડીના વિવાહ યોજાઇ રહ્યા છે. આજે બપોરે 2.30 વાગ્યે જાન પ્રસ્થાન બાદ 3.30 વાગ્યે બેન્ડવાજા તેમજ ડીજેના તાલે વાજતે ગાજતે બગી ઉપર વરરાજાઓનું આગમન થયું હતું.

બાદમાં દાતાઓ અને કન્યાદાન કરનાર દંપતી તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ખાસ લગ્ન મંડપમાં દીકરીઓનું સ્વાગત પણ કોલ્ડ ફાયર અને બલૂન મારફતે ફૂલથી કરવામાં આવ્યું હતું.”રજવાડી ઠાઠ-માઠ સાથે યોજાયેલા આ લગ્નની અંદર દીકરીઓને કરિયાવર તરીકે પણ સોના- ચાંદીના ઘરેણાં સહિત 225 વસ્તુ આપવામાં આવી હતી.

આજે જે દીકરીના લગ્ન છે તે દીકરીઓ પૈકી એક દીકરી લુણાગરિયા હેત્વીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા પિતાનું કોરોનામાં બીજી ઘાતક લહેર દરમિયાન મૃત્યુ થયા બાદ ઘરની પરિસ્થિતિ આર્થિક સારી ન હતી. પરંતુ આજે મારા લગ્ન છે, પિતાની હયાતી જરૂર નથી પરંતુ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે મારા લગ્ન આટલી સારી અને જાજરમાન રીતે થશે. રાજકુંવરીના લગ્ન હોય તેવા અમારા લગ્ન થઇ રહ્યા છે. આયોજકોનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

તો દ્રષ્ટિ ખાંડેગરા નામની એક કન્યાએ કહ્યું કે “સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના 150થી વધુ કાર્યકર્તાઓએ અમારા બધા માટે એક રાજકુંવરી પરણે તેવી વ્યવસ્થા કરી આપી છે. તો આ અંગે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીદત બારોટે કહ્યું કે કોરોનાકાળ અને એના આગળના સમયમાં જે કન્યાઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, એમનો આવો લગ્નનો પ્રસંગ સુખદ બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેમ અન્ય દીકરીઓના લગ્નમાં કાર્યક્રમો થતા હોય છે તેમ આ લગ્નમાં પણ ગત 12 ડિસેમ્બરના રોજ રાસ ગરબા, ગઈકાલે ફૂલેકુ રાખવામાં આવ્યું હતું અને આણુ જોવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

Niraj Patel