BREAKING : કિશન ભરવાડ હત્યા મામલે વધુ એકને ઝડપી લીધો…જાણો

અમદાવાદના ધંધૂકામાં માલધારી સમાજના યુવાન કિશન ભરવાડ પર જાહેરમાં ગોળી ધરબીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસના તાર છેક દિલ્લી સુધી પહોંચ્યા છે. ત્યારે Gujarat ATS એ છેક દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીને પકડી પાડ્યો અને અને આજે રવિવારે અમદાવાદ એટીએસની ઓફિસ ખાલે લવાયો હતો. ત્યારબાદ આ અંગે એસપી આઈજી શેખ દ્વારા પ્રેશ કોન્ફરન્સ કરીને કેસ અંગે માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત ATSના અધિકારી આઈજી શેખે જણાવ્યું છે કે, ધંધૂકાના કિશન ભરવાડ કેસ બાબતે દિલ્હીના મૌલવી કરમગની ઉસ્માનીને પકડીને અમદાવાદ લવાયો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. મૌલવી કમરગની કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે. તે મોહમ્બ પયગંર વિરુદ્ધ અપમાન જનક શબ્દો ઉચ્ચારનાર સામે કડક કાર્યવાહી કરે છે. અને આ અગાઉ પણ તેની સામે કાર્યવાહી પણ થઈ હતી.મૌલવી કમરગની એક સંગઠન ચલાવે છે અને જે સામાજિક કાર્યો સહિત પયગંબર સામે થતી ટિપ્પણીઓ કરનાર સામે કાર્યવાહી કરવાનું પણ કામ કરે છે. તે પોતાના સંગઠનના કામ કેટલી વખાણ ગુજરાત રાજ્ય પણ આવ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે.

દિલ્હીનો આ મૌલાના કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપી હોય શકે છે. મૌલાનાનું પૂછપરછમાં ખુલાસો થયો છે કે અન્ય મૌલવી અયુબે પોરબંદરના યુવકની હત્યાનું કાવતરૂ રચ્યું હતું. ગયા મે મહિના 2021માં સાજન આડેદરાની હત્યા માટે રચ્યું કાવતરૂ રચ્યું હતું. અયુબ અને સબ્બિર હત્યા માટે પોરબંદર ગયા હતા. જામીન મળ્યા બાદ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું.

અમદાવાદના ધંધુકામાં માલધારી સમાજના કિશનની હત્યાનો મામલો સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ હવે તો આ મુદ્દાએ આખા દેશમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. ત્યારે આ ઘટનાના પડઘા છેક હવે બોલીવુડ સુધી પહોંચી ગયા છે. હમણાં જ આ મેટરમાં અભિનેત્રી કંગના રનૌતે ફેસબુક પર પોસ્ટ મૂકીને પ્રતિક્રિયા આપી છે.

જેમાં કંગનાએ FB પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘કિશનની હત્યા મૌલવી દ્વારા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. કિશન દેશની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે. જેથી કિશનની પત્નીને પેન્શન મળવું જોઈએ.’ બૉલીવુડ એક્ટ્રેસ કંગનાએ જણાવ્યું કે, ‘FB પોસ્ટ પર કિશન ભરવાડના ખૂનની મેટર યોજના એક મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેને લાગ્યું કે ભગવાનને તેની પોસ્ટ પસંદ નથી. ગોડના નામ પર ખૂન થતા બંધ થવી જોઈએ,

આપણે કોઈ મધ્યમ યુગમાં નથી જીવતા અને ભારત સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન હજુ તો માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી છે, તેની પોસ્ટ દૂર કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં તેને 4 માણસોએ નિર્દયતાથી મારી નાખ્યો. તે શહીદથી ઓછો નથી. તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે. આ એવાં લોકો છે કે જે આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યાં છે. તેની વિધવા પત્નીને પેન્શન મળવું જોઈએ, ઓમ શાંતિ…’

ધંધુકામાં થોડા સમય પહેલા કિશન ભરવાડનું ખૂન thai ગયું છે અને તેમાં પોલીસ તપાસની ધમધમાટ શરૂ થઈ ચૂકી છે. આ ખૂનના કેસમાં 6 જેટલા મૌલવીઓની કથિત સંડોવણી પણ બહાર આવી છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર છે કે આ કેસમાં હથિયાર આપનારો રાજકોટનો અજીમ સમાનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમી મોરબીથી ઝડપાયો છે.

મોરબી બી ડિવીઝન પોલીસે તેને ઝડપી પાડ્યો છે. જો કે, અત્યારે તો વસીમ ઉર્ફે બચા સમાની વધુ પૂછપરછ માટે તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો છે. તો હત્યા મામલે આરોપી મોહમ્મદ અયુબને કોર્ટમાં રજૂને 14 દિવસ સુધીના રિમાન્ડ માગવામાં આવ્યા છે. જો કે, કોર્ટે ફક્ત 8 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. મુદ્દાની વાત એ છે કે, જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાંથી આરોપી મૌલવી અયુબ જાવરાવાલાની ધરપકડ કરી હતી.

બીજી તરફ, આખા કેસની તપાસ હવે ગુજરાત ATSને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સવારથી જ મોરબી, વાંકાનેર અને રાજકોટમાં અજીમ સમાની તપાસ હાથ ધરી હતી. જો કે, મોરબીની બી ડિવિઝન પોલીસને આખરે સફળતા મળી હતી. પોલીસે અજીમ સમાની ભાઈ વસીમ ઉર્ફે બચા સમાને ઝઢપી પાડ્યો હતો.

બાદમાં બચા સમાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો અને ટીમ તેને લઈને અમદાવાદ રવાના થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સહિતની ટીમ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી રવાના થઈ છે.

ધંધુકામાં ફેસબુક પર ધાર્મિક ટીપ્પણી પર ફાયરિંગ કરી કિશન ભરવાડની હત્યા મામલે ગુજરાતની ATS ટીમને આખી માહિતી અને તપાસ સોપાઇ છે. હવે આ ઘટનાની તપાસ હવે ATS કરશે. ગૃહમંત્રીના આદેશ પછી ATS ને તપાસ સોપાઈ છે.

સોશ્યલ મીડિયાથી લઈને તમામ પહેલું પર ATS તપાસ કરશે. આ કેસમાં આરોપીઓ કોની કોની સાથે સંપર્ક હતા, તે અંગે પણ તપાસ કરાશે. હાલ સુધીની તપાસમાં મૌલવી સહિત ત્રણ પકડાયા છે. જો કે આ આખી ઘટનામાં પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે અને આરોપીના રિમાન્ડ આધારે બાદમાં તપાસ કરાશે.

સોશ્યલ મીડિયા એકાઉન્ટ, મોબાઈલના ડેટા સહિતની તપાસ કરાશે. ધંધુકા પોલીસની તપાસમાં ફાયરિંગ કરેલ હથિયાર મૌલવીએ પૂરું પાડ્યું તેની પણ તપાસ કરાશે. ATS ની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે.

YC