ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણ હોય છે. છેલ્લા ઘણા સમયમાં તો રાજ્યમાં વિદ્યાર્થીઓના આપઘાતના ઘણા કિસ્સા વધ્યા છે. કોઇ પણ વિદ્યાર્થી નાની અમથી વાતે પણ આપઘાત કરી લેતા જરા પણ ખચકાતો નથી. હાલમાં ત્યારે જ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે જે રાજકોટનો છે. એક કોલેજીયન યુવતિએ એટલા માટે ગળે ફાંસો ખાઇ લીધો કારણ કે તેની માતાએ તેને મોબાઇલ મૂકી વાંચવાનું કહ્યુ હતુ. ધૂળેટીના પર્વ નિમિત્તે આ દુખદ ઘટના રાજકોટમાં બની હતી.
કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક યુવતીએ તેના ઘરે જ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આપઘાત કરવા પાછળનું કારણ માતાનો ઠપકો જણાવવામાં આવી રહ્યુ છે. મૃતકની માતાએ તેને મોબાઇલ મામલે ઠપકો આપ્યો હતો અને આ વાતે લાગી આવતા તેણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ હતુ. ત્યારે કોલેજીયન યુવતીની આપઘાતની ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સહકારનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી વિશ્વા ખાંડેરખા તેના ઘરે મોબાઇલ લઈને બેઠી હતી અને આ દરમિયાન જ તેની માતાએ નજીકમાં પરીક્ષા આવતી હોવાને કારણે મોબાઇલ મૂકી વાંચવા કહ્યુ.

જેના કારણે વિશ્વાને લાગી આવતા તેને પોતાના રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ લીધો. જ્યારે પરિવારજનોએ દરવાજો ખખડાવ્યા છત્તાં વિશ્વાએ ન ખોલ્યો તો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો અને દરવાજો તોડી દીધો. ત્યારે તેમણે વિશ્વાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેમજ પરિવારજનોના નિવેદન લેવાની તજવિજ હાથ ધરી હતી. ત્યારે જણાવી દઇએ કે, વિશ્વા કણસાગરા કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે એક ભાઈ એક બહેનમાં મોટી હતી.