મેષ રાશિ બુધાદિત્ય યોગ રાશિફળ: ગ્રહોના સમ્રાટ સૂર્ય દર માસે રાશિ પરિવર્તન કરે છે. વર્તમાનમાં સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં વિચરણ કરી રહ્યો છે. ગ્રહોના યુવરાજ બુધ 15 દિવસે રાશિ પરિવર્તિત કરે છે. જ્યારે એક રાશિમાં બુધ અને સૂર્ય એકસાથે હોય ત્યારે તેની અસર બારેય રાશિના જાતકો પર અનુભવાય છે. 7 મે 2025 ના દિવસે મેષ રાશિમાં બુધ ગ્રહ પણ પ્રવેશ કરશે. એટલે કે 7 મેથી મેષ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું સર્જન થઈ રહ્યું છે. આ રાજયોગ બાર રાશિના જાતકોના જીવન પર ભિન્ન ભિન્ન રીતે અસર કરશે. કેટલીક રાશિઓએ આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું પડશે તો કેટલીક રાશિના જાતકોને સફળતા અને વિપુલ ધન પ્રાપ્ત થઈ શકે છે.
મેષ રાશિમાં સૂર્ય અને બુધ સાથે મળીને 7 મેથી ગોચર કરશે. મેષ રાશિમાં બુધાદિત્યરાજ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, આ રાજયોગ ત્રણ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયક નિવડશે. તો આવો જાણીએ 3 સૌભાગ્યશાળી રાશિ કઈ કઈ છે?
બુધાદિત્ય રાજયોગ 3 રાશિઓ માટે શુભફળ
તુલા રાશિ
તુલા રાશિના સાતમા ભાવમાં બુધાદિત્ય રાજયોગનું સર્જન થઈ રહ્યું છે. આ રાશિના જાતકોનો આગામી સમય ઉત્તમ રહેશે. લગ્ન જીવનમાં આનંદ ટકી રહેશે. જીવનસાથી સાથે સુખદ સમય વીતશે. ભાગીદારીમાં ચલાવેલા વ્યવસાયમાં પણ શુભ પરિણામ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેવાનું છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે પણ બુધાદિત્ય રાજયોગ હિતકારક છે. આ રાશિના ચોથા ભાવમાં સૂર્ય અને બુધની યુતિ બનશે. ગૃહ-સંપત્તિ અને મિલકતનું સુખ મળી શકે છે. ધાર્મિક કાર્ય સંપન્ન થઈ શકે છે. જીવનસાથી સાથે સુખદ સમય વીતશે. પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શ્રેષ્ઠ.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને પણ બુધાદિત્ય રાજયોગ ફાયદો આપશે. આ રાશિના ત્રીજા ભાવમાં આ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને વ્યાપારમાં પ્રચુર લાભ મળશે. નોકરીયાત લોકોને આ સમયગાળા દરમિયાન ફાયદો થશે. બઢતીના યોગ પણ બની રહ્યા છે. પરિવારજનો સાથે સારો સમય પસાર થશે. શિક્ષણ ક્ષેત્રે લાભ મેળવવાના યોગ.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)