દેશની રાજધાની દિલ્હીમાં 131 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલ ‘ગરવી ગુજરાત ભવન’નું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 સપ્ટેમ્બરના રોજ ઉદ્ઘાટન કરશે. આ ભવન દિલ્હીના અકબર રોડ પર બનાવાવમાં આવ્યું છે. આ ભાવનાના નિર્માણ માટેનો નિર્ણય વડાપ્રધાન મોદીએ સત્તામાં આવ્યા બાદ 2014માં લીધો હતો.
આ સુંદર ભવનમાં ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, અને ઉચ્ચ અધિકારીઓના નિવાસ બનાવવામાં આવ્યા છે. જો કે સામાન્ય જાણતા અહીં એક પણ રૂમ બુક કરાવી શકશે નહિ. આ ભવનમાં 19 સ્યુટ રૂમ, 59 બીજા રૂમ્સ, કોન્ફ્રન્સ હોલ, લાયબ્રેરી, યોગા સેન્ટર, રેસ્ટોરન્ટ, ડાઇનિંગ હોલ અને વ્યાયામશાળા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે આ નવી ઇમારતનું નિર્માણ નાગરિકોની વધતી જરૂરિયાતો અને ઘસારાને પહોંચી વાળવા માટે કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આ ભવનના નિર્માણ માટે 7066 સ્કવેર મીટર જમીન ફાળવવામાં આવી હતી. રાજ્ય સરકારની માલિકી ધરાવતી આ ઇમારતનું નિર્માણ શાનદાર આધુનિક સુવિધાઓ સાથે કરવામાં આવ્યું છે.

ગુજરાત ભવનના ઉદઘાટ સમયે રાજ્યના સાંસ્કૃતિક વારસાની ઝલક માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ અવસર પર કેન્દ્ર સરકારના મંત્રીઓ, ગુજરાત સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સહીત ઘણા મહાનુભાવો હાજર રહેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks