પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં 29 જાન્યુઆરીને રાત્રે 1 વાગ્યે સંગમ કિનારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. નાસભાગમાં બેરિકેડ તૂટતા કેટલાક લોકો ઘાયલ થયા હતા. જેને લઈ સોશિયલ મીડિયા પર લોકો રડતા અને પ્રશાસન પર ગુસ્સે દેખાઈ રહ્યા છે. જેના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૌની અમાવસ્યા પર પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
महाकुंभ किसके लिए है?
VVIP के लिए विशेष इंतजाम,
और आम श्रद्धालुओं के साथ ऐसा भेदभाव। pic.twitter.com/Cbm1NMCcyR— Srinivas BV (@srinivasiyc) January 27, 2025
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો રડતા અને પ્રશાસન પર ગુસ્સો ઠાલવતા જોવા મળી રહ્યા છે.
योगी जी, नींद तो आ रही है ना? 💔 pic.twitter.com/UvuR4CdE8m
— Srinivas BV (@srinivasiyc) January 27, 2025
સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે
આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અશોક સિંહનો છે, જેમાં તેઓ આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે કે VIP કલ્ચરના કારણે મેળાની વ્યવસ્થા બગડી રહી છે. પ્રશાસન પોતે જ આખી સિસ્ટમ બગાડવામાં લાગેલું છે. માત્ર VIPના વાહનોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. આ ખોટું છે. સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે.
वीआईपी प्रोटोकॉल के चक्कर में पूरे महाकुंभ मेले का सत्यानाश किया जा रहा है।
– अशोक सिंह, पूर्व अध्यक्ष, इलाहाबाद हाइकोर्ट बार एसोसिएशन #MahaKumbh2025 pic.twitter.com/JAGla8jeZi
— Dr. Ashutosh Verma (Patel) (@DrVermaAshutosh) January 27, 2025
તેમણે કહ્યું કે, “વીઆઈપી કલ્ચરના કારણે મેળો નાશ પામી રહ્યો છે. આ બધું અધિકારીઓની મિલીભગતથી થઈ રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. VIP કલ્ચરના કારણે ખલેલ પડી શકે છે. કોણ છે આ VIP, કોના વાહનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે? પોલીસ કમિશનર અને ન્યાયાધીશોએ આવી પ્રથા બંધ કરવી જોઈએ નહીંતર ભવિષ્યમાં ઘણી મુશ્કેલી પડશે.
प्रयागराज महाकुंभ में आठ से दस किलोमीटर का सफर तय कर लोग संगम पहुच रहे है।मगर प्लाटून पुल बंद होने से लोगो को मुश्किल हो रही है।
गुस्सा देखिये सिर्फ VIP जायेगे, हम या तो घर जाएंगे या जेल जाएंगे?
महाकुंभ में VIP कल्चर के चलते आम आदमी परेसान हो यह नही होना चाहिए। pic.twitter.com/u8WzjaBU71
— Suresh Singh (@sureshsinghj) January 27, 2025
X પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકો અશોક સિંહ સાથે સહમત દેખાઈ રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, “કુંભ મેળામાં VVIP કલ્ચર સામાન્ય ભક્તોની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. લાખો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે કિલોમીટર ચાલી રહ્યા છે ત્યારે કેટલાક VVIP ખાસ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમાનતા અને વિશ્વાસના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે આ ભેદભાવને રોકવા માટે વહીવટીતંત્રને અપીલ છે.
वीआईपी मूवमेंट महाकुभ सरीखे आयोजन के लिए अभिशाप है!
इनके चक्कर में पुलिसवाले आम लोगों की आवाजाही पर बंदिश लगाते हैं, नतीजतन भीड़ का दबाव बढ़ता है!आमजन पैदल चलने का कड़ा इम्तेहान तो दे देते हैं पर कई बार पुलिस-प्रशासनिक सख्ती-जबरन की पाबंदी लोगों के सब्र का बांध जरूर तोड़ देती… pic.twitter.com/lFI4sxUV5v
— Gyanendra Shukla (@gyanu999) January 27, 2025
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અન્ય ઘણા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો મહાકુંભની વ્યવસ્થાથી અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે.