આઈફોન લેવા માટે 20 વર્ષના લબરમૂછિયાએ ડિલિવરી બોયની કરી નાખી હત્યા, સ્કૂટી પર લાશ મૂકીને વહેલી સવારે…
ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર કેટલીક હત્યાના મામલાઓ એવા પણ સામે આવતા હોય છે જેને જાણીને લોકોના રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. ત્યારે હાલ એક એવો જ હચમચાવી દેનારો હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક 20 વર્ષના છોકરાએ આઈફોન માટે ડિલિવરી બોયની હત્યા કરી નાખી.
આઈફોનનો ખાસો ક્રેઝ આજના યુવાનોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ કિડની વેચીને આઈફોન ખરીદવાના મીમ વાયરલ થતા હોય છે. પરંતુ આઈફોન મેળવવાના ક્રેઝે કર્ણાટકના હાસનમાં એક યુવકને ખૂની બનાવી દીધો. આ ઘટના શનિવારની છે. એક યુવકે ઈ-કોમર્સ ડિલિવરી બોયને માત્ર એટલા માટે મારી નાખ્યો કારણ કે તેની પાસે સેકન્ડ હેન્ડ આઈફોન માટે ચૂકવણી કરવા માટે પૈસા ન હતા જે તેણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.
આ ઘટના 7 ફેબ્રુઆરીના રોજ હાસનના આર્સીકેરે શહેરમાં બની હતી અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મૃતક અને આરોપી બંનેનું પહેલું નામ હેમંત હતું. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે 20 વર્ષીય હેમંત દત્તે તાજેતરમાં એક ઈ-કોમર્સ પોર્ટલ પર સેકન્ડ હેન્ડ આઈફોનનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મળ્યા બાદ કંપનીએ ડિલિવરી બોય હેમંત નાઈકને આરોપીના ઘરે મોકલ્યો. આરોપીએ પૈસા લઈ આવવાનું કહી અંદર રાહ જોવા કહ્યું. પરંતુ થોડી જ વારમાં, આરોપી છરી સાથે પાછો ફર્યો અને ડિલિવરી બોયને ઘણી વાર માર્યો, પરિણામે તેનું મોત થયું.
ડિલિવરી બોયની હત્યા કર્યા પછી, તે ગભરાઈ જાય છે અને કંઈપણ સમજી શકતો નથી. પછી ઉતાવળે લાશને ઘરમાં જ સંતાડી દીધી. ત્રણ દિવસ સુધી તે મૃતદેહનો નિકાલ ક્યાં કરવો તે અંગે વિચારવા લાગ્યો. પરંતુ કોઈ રસ્તો ન મળતાં તેણે મૃતદેહને બોરી વડે ઢાંકી દીધો અને તેને સ્કૂટીમાં ભરીને લગભગ 4.50 વાગે સંતાડવા નીકળ્યો. મૃતદેહને ઘરમાંથી બોરીમાં લઈને દત્તા રેલ્વે સ્ટેશનની ઝાડીઓ પાસે પહોંચ્યો અને પછી સ્કૂટીમાંથી બોરી કાઢીને આગ ચાંપી દીધી
A 20 year old man killed an E kart delivery guy, kept the body three days in his home, and burnt the body later all for an obsession for an #iPhone which he didn’t have financial means to pay. Hemanth Dutt of Ariskere town in #Hassan #Karnataka has been arrested- thanks to cctv pic.twitter.com/FIHLtMHqqY
— Imran Khan (@KeypadGuerilla) February 19, 2023
11 ફેબ્રુઆરીએ અર્સિકેર શહેરમાં અંકકોપ્પલ રેલવે સ્ટેશન નજીક, કર્ણાટક પોલીસને એક સળગેલી લાશ મળી. આ રીતે રેલવે સ્ટેશન પાસે સળગી ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા અધિકારીઓએ તુરંત જ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. તપાસમાં થયેલા ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
.