અભિનેતા સતીશ પછી વધુ એક મોટી હસ્તીનું થયું નિધન, 3 દિવસ પહેલા પુત્રના થયા હતા લગ્ન ને આવ્યા દુઃખદ સમાચાર

OYOના સ્થાપક અને CEO રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે ગુરુગ્રામમાં તેમની બિલ્ડીંગના 20મા માળેથી નીચે પડ્યા હતા. તેમનું ઘર આ ફ્લોર પર છે. રમેશ અગ્રવાલના નિધનની પુષ્ટિ OYOના પ્રવક્તાએ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સમયે રમેશ અગ્રવાલનો દીકરો રિતેશ, પુત્રવધૂ અને તેની પત્ની ઘરની અંદર હાજર હતા. રિતેશ અગ્રવાલ તેના પરિવાર સાથે ડીએલએફ ક્રાઈસ્ટ સોસાયટીમાં રહે છે. તેમનું ઘર બહુમાળી ઇમારતના 20મા માળે છે.

પોલીસના જણાવ્યા અનુસાર 10 માર્ચ, શુક્રવારે તેના પિતા બાલ્કનીમાંથી નીચે પડી ગયા અને અકસ્માતમાં મૃત્યુ પામ્યા. આ મામલે ડીસીપી પૂર્વ ગુરુગ્રામ, વીરેન્દ્ર વિજે જણાવ્યું કે, “આ ઘટનાની માહિતી 10 માર્ચ શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે મળી હતી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે રમેશ અગ્રવાલનું મોત 20મા માળેથી પડી જવાથી થયું હતું. તે ડીએલએફ ક્રાઈસ્ટ સોસાયટીમાં રહેતા હતા. તે તેમના ઘરની બાલ્કનીમાંથી પડી ગયા, જેના કારણે તેમનું મોત થયું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

ત્યારે આ સમગ્ર મામલે રિતેશ અગ્રવાલે પણ પોતાનું નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે, “ભારે હૃદય સાથે હું અને મારા પરિવાર જણાવવા માંગીએ છીએ કે અમારા માર્ગદર્શક અને શક્તિ, મારા પિતા રમેશ અગ્રવાલનું 10મી માર્ચે નિધન થયું છે. તેમણે સંપૂર્ણ જીવન જીવ્યું અને મને અને આપણામાંના ઘણાને દરરોજ પ્રેરણા આપી. તેમનું નિધન અમારા પરિવાર માટે મોટી ખોટ છે. તેમના શબ્દો હંમેશા અમારા હૃદયમાં ગુંજતા રહેશે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે દુઃખની આ ઘડીમાં અમારી ગોપનીયતાનું સન્માન કરો.”

તમને જણાવી દઈએ કે, રિતેશ અગ્રવાલે 7 માર્ચે ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા હતા. રિતેશે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી, જેમાં દેશ અને દુનિયાની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. પેટીએમના સીઈઓ વિજય શેખરથી લઈને સોફ્ટબેંકના ચીફ માસાયોશી સોન પણ રિસેપ્શનમાં સામેલ થયા હતા. રિતેશ અગ્રવાલ દેશના સૌથી યુવા અબજપતિઓમાંના એક છે. તેણે વર્ષ 2013માં ઓયો રૂમ્સની શરૂઆત કરી હતી.

Niraj Patel