60-65 રૂપિયામાં પેટ્રોલ પુરાવવું છે? નરેન્દ્ર મોદીના મંત્રીએ આપી મોટી ખુશખબરી

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને લઇને લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે. વિપક્ષી દળ પણ આને મુદ્દો બનાવીને સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે. કેંદ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીનું કહેવુ છે કે વધતી કિંમતોથી લોકોમાં ગુસ્સો છે, જો કે તેના પ્રભાવને ઓછો કરવા માટે તેમણે વૈકલ્પિક ઇંધણના પ્રયોગ પર જોર આપ્યુ છે.

દેશના સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં પહેલા કોમર્શિયલ LNG ફિલિંગ સ્ટેશનનું ઇદ્ઘાટન કર્યુ, આ દરમિયાન તેમણે કહ્યુ કે, LNG, CNG અને ઇથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણના અધિક ઉપયોગથી પેટ્રોલ કિંમતોમાં વધારાથી રાહત મળશે. ગડકરીએ કહ્યુ કે, વાહન ઇંધણના રૂપમાં ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલની તુલનામાં ઓછો calorific value છત્તાં ઓછામાં ઓછા  રૂપિયા પ્રતિ લિટર બચાાવવામાં મદદ કરશે.

LNGના આર્થિક લાભ પર પ્રકાાશ પાડતા ગડકરીએ કહ્યુ કે, આંકડાથી ખબર પડે છે કે એક પારંપારિક ટ્રક એન્જીનમાં બદલવાની ઔસત લાગત  લાખ રૂપિયા હતી. ટ્રક વર્ષમાં 98 હજાર કિમી ચાલે છે. આ માટે LNGમાં બદલ્યા બાદ 9-10 મહિનામાં પ્રતિ વાહન 11 લાખ રૂપિયાની બચત થશે.

નીતિન ગડકરીએ કહ્યુ કે, જલ્દી જ અમે લોકો પેટ્રોલ પંપ પર ઇથેનોલની સુવિધા આપીશુ, જે પેટ્રોલ-ડિઝલથી ઓછા ભાવ પર ઉપલબ્ધ થશે. ઇથેનોલ ગ્રાહકોને લગભગ 60–65 રૂપિયા લીટર મળશે. ગ્રીન ફ્યુલથી પ્રદુષણમાં ઘટાડો પણ થશે.

Shah Jina