BREAKING : “તારક મહેતા”માં થવા થઇ રહી છે નટ્ટુ કાકાની એન્ટ્રી

ખુશખબરી : મળી ગયા નવા નટ્ટુ કાકા, જાણો કોણ નિભાવશે રોલ ? તમે જાતે જ જોઈ લો નવા નટુકાકાને

સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષોથી ટીવી પર પ્રસારિત થઈ રહી છે અને તેના પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે પછી એ જેઠાલાલ હોય દયાબેન હોય કે પછી નટ્ટુકાકા અને બાઘા…તારક મહેતાના પ્રેક્ષકો અને શોના કલાકારો પણ નટ્ટુ કાકાના પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા હતા, તેથી હવે નિર્માતાઓએ નવા નટ્ટુ કાકાની શોધ પૂર્ણ કરી લીધી છે. આ પાત્ર હવે થોડા જ સમયમાં શોમાં જોવા મળશે. શોના નિર્માતા અસિત મોદીએ દર્શકોને નવા નટુ કાકાનો પરિચય કરાવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી નવા નટ્ટુ કાકાની ઝલક બતાવવામાં આવી હતી. આ ઉપરાંત યૂટયૂબ પર વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં અસિત મોદી સાથે ઉભેલી વ્યક્તિ હવે શોમાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવતી જોવા મળશે. એટલે કે આ શોમાં ફરી એકવાર કાકા-ભત્રીજા એટલે કે બાઘા અને નટ્ટુકાકાની જોડી જોરદાર રંગ જમાવતી જોવા મળશે. ગડા ઈલેક્ટ્રોનિક્સ પણ ખુલી ગયું છે એટલે નટુ કાકા વગર દુકાન અધૂરી છે.

હવે આ દુકાનમાં નટુ કાકા અને બાઘા બંને ભેગા મળીને જેઠાલાલને ખૂબ જ પરેશાન કરશે, પછી તેઓ તેમના દુ:ખ અને સુખના સાથી પણ બનશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીએ એક વીડિયો રિલીઝ કરીને દર્શકોને નવા નટ્ટુ કાકાનો પરિચય કરાવ્યો છે. આસિત કુમાર મોદીએ આ વીડિયોમાં કહ્યું છે કે, ‘જૂના નટ્ટુ કાકાએ જ આ નવા નટ્ટુ કાકાને મોકલ્યા છે. જેમ તમે તેમને તમારો પ્રેમ આપતા હતા, એ જ રીતે તમારે નવા નટ્ટુ કાકાને પણ ઘણો પ્રેમ આપજો.’

જો કે, આસિત કુમાર મોદીએ નવા નટ્ટુ કાકાનો રોલ કરી રહેલા અભિનેતાનું નામ જણાવ્યું નથી. પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે અને તેઓ ગુજરાતી છે. તેઓ પોતાના મિત્રવર્તુળમાં ‘કેબી’ તરીકે લોકપ્રિય છે. તે થિયેટર પર્સનાલિટી છે. કિરણ ભટ્ટ થિયેટર ડિરેક્ટર, પ્રોડ્યુસર તથા આર્ટિસ્ટ છે. તમને જણાવી દઈએ કે ઘનશ્યામ નાયક છેલ્લા 13 વર્ષથી આ પાત્ર ભજવી રહ્યા હતા પરંતુ ગયા વર્ષે તેમનું અવસાન થયું હતું.

તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. આ દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો થયો પરંતુ સપ્ટેમ્બરના અંતમાં તેમની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ઘનશ્યામ નાયકે 3 ઓક્ટોબરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માટે એક અપૂર્ણ ખોટ હતી. ઘનશ્યામ નાયક માત્ર દર્શકોના જ નહીં પણ શોના બાકીના કલાકારોના પણ પ્રિય હતા. તેમના અંતિમ સંસ્કારમાં શો સાથે જોડાયેલા ઘણા ચહેરાઓ સામેલ થયા હતા.

Shah Jina