તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 1 દાયકા કરતા વધુ સમયથી લોકોને હસાવી રહ્યો છે. આ શોને હાલમાં જ 12 વર્ષ પુરા કર્યા છે. લોકડાઉન બાદ અનલોકમાં ફરી એક વાર નવા એપિસોડ સાથે લોકોને મનોરંજન કરી રહ્યો છે. હવે આ શોમાં એક બાદ એક ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. આ શોમાં ઘણા કિરદારએ આ શોને અલવિદા કહી દીધું છે. હાલમાં જ રોશન સિંહ સોઢી નિભાવનાર એક્ટરએ આ શોને અલવિદા કહી દીધું હતું. આ બાદ શોમાં અંજલિ ભાભીનો રોલ નિભાવતા નેહા મહેતાએ આ શોને અલવિદા કહી દીધું છે. આ ખબરની પૃષ્ટિ ખુદ નેહાએ કરી છે.
નેહા મહેતાઆ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનો અલવિદા મેસેજ પોસ્ટ કર્યો છે. જેમાં તેને લખ્યું હતું કે, હેલો અને બધાને થેંક્યુ. મેં ગજબ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગજબના 12 વર્ષ વિતાવ્યા છે. હું ખુબસુરત કરિયર માટે હંમેશા આભારી રહીશ. આદરરિણય અસિતકુમાર મોદીજી, કો સ્ટાર્સ અને આખી ટીમ ને, આપના ખુબસુરત સફરને પુરા કરવા માટે તમારી મહેનતનું હું સમ્માન કરું છું.
View this post on Instagram
નેહા મહેતાએ વધુમાં લખ્યું હતું કે, મેં પહેલા આટલુંહાસ્ય ક્યારે પણ નથી કર્યું. આ શોનો હિસ્સો બનીને હું બેહદ ખુશ છું. આ શોના પ્રતિભાશાળી સહકર્મીઓઓ ઉદારતાને યાદ કરીશ. ધન્યવાદ ભવિષ્ય માટે શુભકામના, શો ચાલતો રહેવો જોઈએ.
View this post on Instagram
જણાવી દઈએ કે,અંજલિ ભાભીનો રોલ નિભાવવા માટે હવે નેહા મહેતાની જગ્યાએ સુનૈના ફૌજદાર નજરે આવશે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે. સુનૈના ફોજદારે 23 ઓગસ્ટથી શૂટિંગ શરૂ પણ કરી દીધું છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.