પિતાના અંતિમ સંસ્કારમાં પોતાને સંભાળી ન શક્યા ફિરોઝ નડિયાદવાલા, સાજિદ નડિયાદવાલા અને પત્ની વર્ધા ખાન પણ નમ આંખે પહોંચ્યા

મલ્ટી-સ્ટારર મસાલા ફિલ્મોના દિગ્ગજ બોલિવૂડ નિર્માતા અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. આ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંતિમ સંસ્કાર સમયની કેટલીક તસવીરો સામે આવી છે. અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાના નિધનથી આખો પરિવાર દુખી છે અને તેઓ પોતાની જાતને સંભાળી શકતા નથી.

સમાચાર મળતાની સાથે જ આખો પરિવાર અને તમામ નજીકના લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. તેમના પુત્ર મુસ્તાક નડિયાદવાલાએ સોમવારે પિતાના નિધનની માહિતી આપી. તેઓ 92 વર્ષના હતા અને અનેક બીમારીઓ સામે લડી રહ્યા હતા. તેમણે સોમવારે 3 વાગ્યાની આસપાસ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

જે તસવીરો સામે આવી છે, તેમાંથી એક તસવીરમાં તમે અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાની પુત્રવધૂ અને સાજિદ નડિયાદવાલાની પત્ની વર્ધા ખાનને જોઈ શકો છો. આ દરમિયાન વર્ધા ખાન આઘાતમાં જોવા મળી હતી. તે બરાબર ચાલી પણ શકતી ન હતી. સસરાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે તે પહોંચી હતી. ત્યાં સાજિદ નડિયાદવાલા પણ આ દરમિયાન ઘણા દુખી દેખાયા હતા.

આ દરમિયાન સાજીદ રડતો પણ જોવા મળ્યો હતો. જો કે તે પોતાના પરિવારનું ખૂબ જ સારી રીતે ધ્યાન પણ રાખી રહ્યો છે. અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલા વિશે વાત કરીએ તો, તેઓ ફિલ્મ ઉદ્યોગમાં ગફ્ફારભાઈ તરીકે જાણીતા હતા. તેમના પરિવારે માહિતી આપી હતી કે ગફ્ફારભાઈની અંતિમયાત્રા સાંજે 4 વાગ્યે વિલે પાર્લેના ઇરલા મસ્જિદ કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી હતી,

જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાંચ દાયકાથી વધુની તેમની ફિલ્મ નિર્માણ કારકિર્દીમાં, તેમણે ‘આ ગલે લગ જા’, ‘લહુ કે દો રંગ’, ‘શંકર શંભુ’, ‘જૂઠા સચ’, ‘સોને પર સુહાગા’, ‘વતન કે રખવાલે’ જેવી ઘણી યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ગફ્ફારભાઈ નડિયાદવાલા ફિલ્મ નિર્માતા એ.કે. નડિયાદવાલાના પુત્ર હતા,

અને તેમણે તેમના પિતાના ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી. નડિયાદવાલા ફિરોઝ નડિયાદવાલાના પિતા અને સાજિદ નડિયાદવાલાના પિતરાઈ ભાઈ હતા. નડિયાદવાલા પરિવાર બોલિવૂડમાં ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. જણાવી દઇએ કે, અભિષેક બચ્ચન સહિત અનેક જાણિતી હસ્તિઓ ગફ્ફારભાઇના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી.

Shah Jina