પતિ બીમાર પડતા જ સેવા કરવાને બદલે હવસખોર વહુએ સસરા સાથે બનાવ્યા સંબંધો, એક દિવસ ધાબા પર…

પતિ અખિલેશને કરંટ લગતા જ બીમાર પડ્યો અને પાછળથી વહુ નિધિ અને સસરા સાથે ગંદો સંબંધ બંધાયો, અંત સાંભળીને તમારી આત્મા કંપી જશે એ પાક્કું

ગુજરાત સહિત દેશભરમાંથી અનેકવાર હત્યાના મામલા સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર અંગત અદાવત કારણ હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધ…હાલ હતયાનો જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં અવૈદ્ય સંબંધ કારણ છે.

ઝાંસીના રક્ષા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તેના જમણા હાથનું કાંડું પણ કપાઈ ગયું હતુ. મહિલા બે વર્ષથી માતાના ઘરે રહેતી હતી. આ ઘટના મહિલાના બીજા લગ્નના લગભગ 11 દિવસ પહેલા બની હતી. પોલીસે શંકાસ્પદ યુવકની પણ આ મામલે અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું પણ સામે આવ્યુ હતુ ત્યારે રક્ષા નિવાસી નિધિ રાજપૂતના લગ્ન ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના બજેરા ગામના રહેવાસી અખિલેશ સાથે 2013માં થયા હતા. નિધિના ભાઈ દીપકે જણાવ્યું કે અખિલેશ તેના પિતાનો એકમાત્ર પુત્ર હતો. તે દારૂ પીને જુગાર રમતો હતો. તેણે પોતાની 6 વીઘા જમીન અને મકાન વેચી દીધું હતુ.

representative image

તે તેની બહેન નિધિને મારતો પણ હતો. જેને કારણે નિધિ લગભગ બે વર્ષથી તેના પિયર રહેતી હતી. નિધિ તેના 6 વર્ષના પુત્ર આઝાદ અને માતા કસ્તુરી સાથે શિવપુરી હાઈવે પર રક્ષા પોલીસ સ્ટેશન પાસે સ્થિત સંજુ ધાબાની પાછળના ખેતરના રૂમમાં રહેતી હતી. શુક્રવારે રાત્રે જમ્યા બાદ નિધિ ટેરેસ પર સુઈ ગઈ હતી. ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ પુત્ર જાગ્યો ત્યારે તે ઉઠીને માતા પાસે ટેરેસ પર ગયો હતો. ત્યારે માતા લોહીથી લથપથ હતી.

representative image

નીચે આવીને તેણે નાનીને જગાડી. માતા ટેરેસ પર ગયા અને જોયુ તો નિધિના ગળા અને હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું અને નજીકમાં તેનો મોબાઈલ પણ હતો જે તૂટી ગયેલો હતો. આ કેસનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હત્યારો નિધિનો પ્રેમી દેવેન્દ્ર રાજપૂત છે. દેવેન્દ્ર સંબંધમાં નિધિના કાકા સસરા થતો હોવાનું સામે આવ્યુ છે. બંને વચ્ચે બે વર્ષથી અવૈદ્ય સંબંધો હતા. આરોપી દેવેન્દ્રની પોલીસે ધરપકડ કરી લીધી છે.

એક અકસ્માતમાં નિધિના પતિ અખિલેશને વીજ કરંટ લાગ્યો હતો અને તે બીમાર પડવા લાગ્યો. આ દરમિયાન પાડોશમાં રહેતા દેવેન્દ્ર રાજપૂત અને નિધિ વચ્ચે નિકટતા વધી હતી. ધીમે ધીમે બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધ બંધાયો. પતિની બીમારીના કારણે નિધિ તેના 6 વર્ષના પુત્ર સાથે તેના પિયર છેલ્લા બે વર્ષથી રહેતી હતી.

નિધિ તેની માતા સાથે ફાર્મ હાઉસમાં રહેતી હતી. માતાએ નિધિના લગ્ન ખજરાહાના એક યુવક સાથે નક્કી કર્યા હતા. બંને 15 જૂને લગ્ન કરવાના હતા. જેના કારણે દેવેન્દ્ર ગુસ્સામાં હતો. દેવેન્દ્ર શુક્રવારે સાંજે નિધિના ઘરે આવી પહોંચ્યો હતો.

representative image

નિધિ અને દેવેન્દ્ર ટેરેસ પર સૂવા ગયા હતા. ટેરેસ પર દેવેન્દ્રએ નિધિ સામે આ લગ્ન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. નિધિએ તેના ભાવિ પતિને દેવેન્દ્રની સામે બોલાવ્યો. આના પર દેવેન્દ્ર ગુસ્સે થઇ ગયો અને ભાન ભૂલી ગયો. જે બાદ તેણે નિધિનું દોરડા વડે ગળું દબાવી દીધું. આ પછી, તેણે નજીકમાં પડેલી છરી વડે તેનું ગળું કાપી નાખ્યું અને તેના કાંડાની નસ પણ કાપી નાખી. નિધિની હત્યા કર્યા પછી દેવેન્દ્ર આત્મહત્યા કરવા માંગતો હતો. તેણે ફેસબુક પર લખ્યું કે, ‘મિત્રો, ગુડબાય, હું મરી જવાનો છું.

ફેસબુક પોસ્ટ જોઈને એક મિત્રએ ફોન કરીને તેને સમજાવ્યો પણ દેવેન્દ્ર માન્યો નહીં. તે પરીછા રેલ્વે ટ્રેક પર સૂઈ ગયો. દેવેન્દ્ર ઉભો થયો પરંતુ બીજી ટ્રેન સાથે અથડાતા તે ઘાયલ થયો હતો.એસએસપી શિવહરી મીણાએ જણાવ્યું કે દેવેન્દ્ર રાજપૂતની સિજવાહ તિરાહાથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસને નિધિની હત્યામાં વપરાયેલ છરી મળી આવી છે. SSPએ 24 કલાકમાં આ હત્યાનો પર્દાફાશ કરનાર પોલીસ ટીમને 25,000 રૂપિયાનું ઈનામ આપ્યું છે.

Shah Jina