જો બ્રિજનું સંચાલન કરતી કંપનીએ આ ભાઈની વાત માની લીધી હોત તો 134 લોકોના જીવ બચી ગયા હોત

જો બ્રિજનું સંચાલન કરતી કંપનીએ આ ભાઈની વાત માની લીધી હોત તો 134 લોકોના જીવ બચી ગયા હોત, 4:30 કલાકે જ ભારે ભીડ અને યંગસ્ટર દ્વારા બ્રિજને નુકશાન…

મોરબીમાં ઘટેલી દુઃખદ દુર્ઘટનાને લઈને આખા ગુજરાતમાં શોકનો માહોલ છે, તહેવારો અને રજાઓનો સમય હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો મોરબીના ઝૂલતા પુલ પર આનંદ માણવા માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યારે જ એક દુર્ઘટના ઘટી અને તેમાં 134 જિંદગીઓ હોમાઈ ગઈ. ત્યારે આ દુર્ઘટના ઘટ્યા બાદ લોકોમાં પણ એ સવાલ ઉભો થઇ ગયો છે કે આ ઘટના પાછળ જવાબદાર કોણ ?

ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે બ્રિજ ઉપર ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા, ત્યારે મોરબીના ઝૂલતા પુલ પર વધારે લોકોને જોઈને એક જાગૃત નાગરિકે પ્રસાશનને દુર્ઘટના ના ઘટે તે માટે થઈને ફરિયાદ પણ કરી હતી, છતાં ત્યાં હાજર જવાબદાર લોકોએ આંખ આડા કાન કર્યા અને થોડી જ ક્ષણોમાં મોરબી માટે કાળા દિવસ સમાન આ ગોઝારી ઘટના બની ગઈ.

આ બાબતે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જામનગરના વિજયભાઈ ગોસ્વામી અને તેમના પરિવારે લગભગ બપોરે 4.30 વાગ્યાની આસપાસ આ ઝૂલતા પુલ પર ક્ષમતા કરતા વધારે લોકો હોવાની ફરિયાદ કરી હતી. વિજયભાઈએ આ પુલનું મેનેજમેન્ટ કરી રહેલી ઓરેવા કંપનીને મૌખિક રજુઆત કરીને જણાવ્યું હતું કે બ્રિજ પર કેટલાક યુવાનો મસ્તી કરી રહ્યા છે અને તેના કારણે જ પુલને નુકશાન પણ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે તેમની આ રજૂઆતને લઈને ફરજ પર રહેલા લોકોએ આંખ આડા કાન કર્યા હતા અને વિજયભાઈની ફરિયાદને હળવાશથી લીધી. પરંતુ આ ફરિયાદની થોડી જ ક્ષણો બાદ આ દુર્ઘટના ઘટી હતી. જો વિજયભાઈની ફરિયાદને ધાન્યમાં લઈને 4.30 વાગ્યા પછી જ જો કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની જિંદગીઓ બચી ગઈ હોત.

Niraj Patel