કોરોનાના કાળા કહેરમાં મોરારિબાપુએ આટલા કરોડ દાન આપવાની કરી જાહેરાત,જાણો વિગત

મોરારિબાપુએ આજે રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી છે. કોરોનાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકુટધામ(તલગાજરડા) દ્વારા થઇ રહી છે. આ સિવાય કોરોનાની વિકટ સ્થિતિમાં ઑક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. તેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદીરૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવા કર્મીઓ તરફથી 5 લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.

બાકીના 95 લાખ આગામી દિવસોમાં જેના તરફથી નાણાકીય સેવા રૂપે મળશે. કોરોનાની આ મહામારીમાં અને વિકટ સ્થિતિમાં ઑક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.

25-25 લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા આ ચાર તાલુકામાં કોરોના સંદર્ભે જે પ્રમાણે જરૂરિયાત હશે તે મુજબ વાપરવામાં આવશે. મોરારિબાપુની આ જાહેરાતને લોકોએ આવકારી છે.

Shah Jina