શ્રી રામ ભગવાનના સાચા ભક્ત તરીકે હનુમાન દાદાને માનવામાં આવે છે, અને હનુમાન દાદા એક વાનર છે જેના કારણે આપણે પણ વાનરોને હનુમાન દાદા જ માનતા હોઈએ છીએ, ઘણા રામ મંદિરમાંથી વાનરો દ્વારા ઘણા પરચાઓ મળતા આવ્યા છે. હાલ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વાંદરા દ્વારા રામાયણનો પાઠ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટના બની છે પ્રતાપગઢના સુભાનગર સ્થિત હનુમાન મંદિરમાં. મંગળવારની સાંજે મંદિરની અંદર સુંદરકાંડનો પાઠ ચાલી રહ્યો હતો. તે દરમિયાન જ વાંદરો ત્યાં આવી ગયો અને લગભગ 20 મિનિટ સુધી વાંદરો રામાયણના પાનાઓને ફેરવતો રહ્યો. તે જોઈને એમ જ લાગી રહ્યું હતું કે તે રામાયણ વાંચી રહ્યો છે.
આ જોઈને ત્યાં ઉભેલા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ ઘટનાને લોકો હવે આસ્થા અને ચમત્કાર સાથે જોઈ રહ્યા છે. સુંદરકાંડ સમયે જ વાંદરનું મંદિરમાં આવવું અને બીજી કોઈ વસ્તુને અડવાને બદલે સીધું જ રામાયણ હાથમાં લેવું અને તેના પાનાં ફેરવવા કોઈ ચમત્કાર જ હોઈ શકે છે એમ લોકોનું માનવું છે.
सुंदर कांड के पाठ के दौरान हनुमानजी के मंदिर में घुसा बंदर, ‘पढ़ने लगा’ रामायण #जय_श्रीराम pic.twitter.com/P9CAj9CVN3
— S N Singh (@isnsingh74) February 20, 2021
ત્યાં ઉપસ્થતિ કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.