આ હનુમાન દાદાના મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી જોવા મળે છે ચમત્કાર, વાનર કરે છે મંદિરની દેખરેખ અને આપે છે ભક્તોને આર્શીવાદ

આ હનુમાનદાદાના મંદિરમાં છેલ્લા 7 વર્ષથી ચમત્કાર દેખાય છે…બંદર રોજે રોજ સવારે અને સાંજે આવતા ભક્તોને આશીર્વાદ આપે છે. જુઓ

આપણા દેશમાં ઘણા ભગવાનના મંદિરો આવેલા છે, અને બધા મંદિરોમાં ઘણા લોકો દર્શન માટે જતા હોય છે અને દરેક પોતાની ઇચ્છા ભગવાન સામે રાખતા હોય છે. ભગવાન શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ પણ કરતા હોય છે ત્યારે કેટલાક મંદિરોમાં તો નાના મોટા ચમત્કારો થતા પણ જોવા મળતા હોય છે. તેવું જ આ હનુમાન દાદાનું મંદિર છે, જે અજમેરમાં આવેલું છે. આ હનુમાન દાદાના દર્શન કરવા માટે દુર-દુરથી ભક્તો આવતા હોય છે.

કોઇ પણ વસ્તુને પરખવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો ખૂબ જરૂરી છે. પરંતુ દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જેની આગળ વિજ્ઞાનનું કંઇ ચાલતુ નથી. માણસના વિચાાર અને માણસની સમજની પાર છે આ વસ્તુઓ. તમે બધાએ એ વાત પર ગોર કર્યુ હશે કે જયાં હનુમાન મંદિર હોય કે રામ મંદિર ત્યાં વાંદરાનું ટોળુ હાજર હોય છે.

આ એક સામાન્ય વાત છે પણ રાજસ્થાનના અજમેરમાં સ્થિત બજરંગગઢના હનુમાન મંદિરમાં કંઇક એવુંં જોવા મળશે જેના પર તમને યકીન નહિ થાય. આ મંદિરમાં કોઈ પૂજારી નહિ પણ એક વાંદરો કરે છે હનુમાનજીની પૂજા. આ વાંદરો સવારે મંદિરમાં હનુમાનજી દાદાની પૂજા કરે છે અને સાંજે આ મંદિરની દેખભાળ કરે છે. આ વાનર એક સાચા હનુમાન ભક્તની જેમ તિલક પણ લગાવે છે અને જે લોકો અહીં દર્શન કરવા માટે આવે તેમને આશીર્વાદ પણ આપે છે.

આ વાનર આરતીના સમયે મંદિરમાં ઘંટ પણ વગાડે છે. આ વાંદરો એટલે કે રામૂ જે છેલ્લા 8 વર્ષોથી આ મંદિરની સેવા કરે છે. લોકો તેને સાક્ષાત બાલાજીનું રૂપ જણાવે છે. રામૂની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે,જેમાં તે કોઇ વ્યક્તિને આશીર્વાદ આપતો જોવા મળે છે. તે છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાં જ રહે છે.

Shah Jina