ડિસ્કવરી ચેનલના ફેમસ શો ‘મૈન વર્સીઝ વાઈલ્ડ’ શો ના સ્પેશિયલ એપિસોડમાં બેયર ગ્રિલ્સની સાથે નરેન્દ્ર મોદીજી પણ જોવા મળ્યા છે. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ ગ્રિલ્સને જણાવ્યા હતા.મોદીજીએ કહ્યું કે તેનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું હતું, બાળપણમાં ન્હાવાં માટે સાબુ ન હતો તો તેનો પરિવાર મીઠાની પરતથી ન્હાતો હતો.
શો ના સ્પેશિયલ એપિસોડમાં બેયર ગ્રિલ્સ નક્કી કરેલા સમયના 15 મિનિટ પહેલા જ પહોંચી જતા હતા, જેના પછી મોદીજી જયારે આવે ત્યારે એક-બીજાનું સ્વાગત કર્યા પછી મોદીજી ગ્રિલ્સને પૂછે છે કે શું તે પહેલી વાર ભારત આવ્યા છે તો તેના પર બેયરે જવાબ આપ્યો કે તે પહેલી વાર ભારત નથી આવ્યા, એક લાંબા સમયના અંતર પછી તેનું ભારત આવવાનું થયું છે. તે 18 વર્ષની ઉંમરમાં એક વિદ્યાર્થી સ્વરૂપે ભારત આવ્યા હતા.
મોદીજીએ કહ્યું કે તે ખુબ જ ગરીબ પરિવારથી આવે છે અને તેનું બાળપણ ખુબ ગરીબીમાં વીત્યું હતું. જેને લીધે તેઓની પાસે ન્હવા કે કપડા ધોવાનો સાબુ લેવા માટે પણ પૈસા ન હતા. એવામાં તેઓ મીઠાના(સોલ્ટ,નિમક)ની પરતનો ઉપીયોગ ન્હાવા અને કપડા ધોવા માટે કરતા હતા.
જેના પર ગ્રિલ્સ પૂછે કે છે તેઓ કેવી રીતે મીઠાની પરતનો ઉપીયોગ ન્હાવા માટે કરતા હતા તો જવાબમાં મોદીજી કહે છે કે મીઠાની પરતને પાણીમાં ગરમ કરીને તેનો ઉપીયોગ ન્હાવા માટે કરતા હતા.
મોદીજી કહે છે કે,”મને બાળપણથી જ સાફ-સફાઈ ખુબ જ પસંદ છે. અને હું હંમેશા સ્વચ્છ કપડા પહેરીને જ શાળાએ જતો હતો. હું તાંબાના વાસણમાં ગરમ કોલસો નાખીને કપડાને ઈસ્ત્રી કરીને પહેરતો હતો”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks