મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં એક્શન મોડમાં જોવા મળ્યા પીએમ મોદી, કોરોનાને લઈને કહી દીધી સૌથી મોટી વાત

શાંત થયેલો કોરોના હવે ફરી પાછો ફૂંફાડા મારી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા પણ આ બાબતે મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વધતા કોરોનાને રોકવા માટે ચર્ચા કરવામાં આવી હતી. (Image Credit- BJP/twitter)

આજે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમને મુખ્યમંત્રીઓને જણાવ્યું હતું કે, “આપણે કોરોનાની આ ઉભરી રહેલી “બીજી લહેર”ને તરત રોકવી પડશે. જેના માટે ઝડપી અને નિર્ણાયક પગલાં ભરવા પડશે.

કોરોનાના ફરી વધી રહેલા સંક્ર્મણના મામલાને ઓછા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીને પહેલાની જેમ ટેસ્ટિંગ વધારવા માટે જણાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને લઈને પણ આપણે એટલી જ ગંભીરતાની જરૂરિયાત છે જે આપણે છેલ્લા એકવર્ષથી કરતા આવ્યા છીએ. દરેક સંક્રમિત વ્યક્તિના સંપર્કને ઓછામાં ઓછા સમયમાં ટ્રેક કરવા અને આરટી-પીસીઆર ટેસ્ટ રેટ 70 ટકાની ઉપર રાખવો ખુબ જ મહત્વનો છે. આપણે નાના શહેરોના ટેસ્ટિંગને વધારવું પડશે. આપણે નાના શહેરોમાં “રેફરલ સિસ્ટમ” અને “એમ્બ્યુલન્સ નેટવર્ક” ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે.”

તો આ ઉપરાંત પીએમ મોદીએ વેક્સિનના થઇ રહેલા વેસ્ટેજ વિશે પણ રાજ્યના મુખ્યમંત્રીઓને સતર્કતા રાખવા માટે જણાવ્યું હતું.

Niraj Patel