દર મહિને યુવતીઓ અને મહિલાઓને પિરિયડમાં આવવું એક કુદરતી પ્રક્રિયા છે. સમય દરમિયાન યુવતી અને મહિલાઓન ઘણી સમસ્યાનો ભોગ બનું પડે છે. જેવા કે માથાનો દુઃખાવો, શરીરમાં દુખાવો, બ્લીડીંગ, નીંદરના આવવું જેવી પરેશાનીઓ પિરિયડના લીધે થાય છે. જેના કારણે ડેઇલી રૂટિન ડિસ્ટર્બ થઇ જાય છે. પરંતુ ઘણી વાર મહિલાઓને જાણકારીના અભાવે સેનેટરી પેડ, ડાયટ અને પેઈનકિલરથી જડાયેલી ઘણી ભૂલો કરતી રહે છે. જેની અસર સ્વાસ્થ્ય પર થાય છે. આજે અમે આ લેખ દ્વારા જણાવીશું કે પિરિયડ દરમિયાન કઈ સાવચેતીનો ખ્યાલ રાખવો જોઈએ.
પિરિયડ દરમિયાન દર્દથી રાહત મેળવવા માટે મહિલાઓ પેઈન કિલરનો સહારો લે છે. પેઈન કિલરથી શરીર પર ખરાબ અસર થાય છે. એક સંશોધન પ્રમાણે પીરિયડ્સ દરમિયાન લેવામાં આવતી પેઈન કિલર સ્વાસ્થ્ય હાનીકારક છે. આ દવાઓનું સેવન કરવાથી તમારા શરીરમાં સારા બેક્ટેરિયાનો નાશ થાય છે. જેના કારણે મહિલાને હાર્ટ એટેક, અલ્સર, લીવર, કિડની અને આંતરડા સંબંધી બીમારી થવાની શક્યતા છે.

પિરિયડ દરમિયાન શરીરમાં ઘણી કમજોરી હોય છે. ત્યારે આ સમય દરમિયાન હેવી વર્કના કરવું જોઈએ. જેના કારણે પેટ અને કમરના દર્દમાં વધારો થતો હોય છે.
પિરિયડ દરમિયાન ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવાથી માથાના અને શરીરના દુખાવાની સમસ્યા રહે છે.
યુવતીઓ પિરિયડ દરમિયાન આવતી બ્લડની ખરાબ વાસને કારણે પર્ફયુમનો ઉપયોગ કરતી હોય છે. જણાવી દઈએ કે આવું કરવાથી યીસ્ટ ઈંફેક્શની સાથે ઘણા પ્રકારના ઇન્ફેક્શન થવાનો ડર લાગે છે. પર્ફ્યુમમાં સિન્થેટિક અને બીજા કેમિકલ હોય છે. જે સ્કિનને નુકશાન પહોંચાડે છે.
પિરિયડ દરમિયાન જંક ફૂડનું સેવન ટાળવું જોઈએ. મિનરલ્સ અને વિટામિન મળે તેવું ભોજન કરવું જોઈએ.

પિરિયડ દરમિયાન એ ખુબજ જરૂરી છે પર્યાપ્ત માત્રામાં ભોજન કરવું. આ સમયે કોઈ પણ કારણથી ભોજનના કરવાથી તબિયત માટે ખતરનાક હોય શકે છે. આ સમયે શરીર બહુજ કમજોર હોય છે. તેવામાં ના જમવાને કારણે તબિયત ખરાબ થવાની શક્યતા રહેલી છે. આ સમયે કોશિશું કરવાની કે પોષ્ટીક આહાર લેવાની.
પિરિયડ દરમિયાન વધારે પડતું કોફીનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે પેટના દર્દમાં વધારો થાય છે.
ઘણી વાર મહિલાઓ જાહેરાત અને આળસને કારણે લાંબા સમય સુધી રાખતી હોય છે. પ્રિયદ દરમિયાન બહુજ જરૂરી છે કે દર ત્રણથી ચાર કલાકે સેનેટરી પેડી બદલી દેવાનું. આનાથી તમને ઇન્ફેક્શન લાગવાનો ભય પણ નહીં રહે, અને દુર્ગંધની સમસ્યા પણ નહીં રહે.

પિરિયડ દરમિયાન વાપરવામાં આવતા પેડ રિયોન, કોટન અથવા બન્નેના સાથે મળીને બનેલા હોય છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે આમાં હાનિકારક કેમિકલ અને પેસ્ટીસાઇડનો ઉપતોગ કરવામાં આવે છે. જેની ખરાબ અસર મહિલાઓની ફર્ટિલિટી પર પડે છે. હંમેશા ઓર્ગેનિક કોટનથી બનેલા પેડનો જ ઉપયોગ કરવો જોઈએ.
પિરિયડ દરમિયાન મહિલાઓ સુસ્ત હોય છે. ત્યારે આ દરમિયાન હળવી કસરત કરવાથી પણ દુખાવો થાય છે. પ્રિયદ દરમિયાન એક્સરસાઇઝ જરૂર કરવી જોઈએ. એક્સરસાઇઝ કરવાથી શરીરમાં પસીનાના રૂપમાં ટોક્સિન બહાર નીકળી જાય છે.
ઘણી મહિલાઓને લાગે છે કે, પીરિયડ્સ દરમિયાન તેની ગર્ભવતી હોવાની સંભાવના ખતમ થઇ જતી હોય છે. પરંતુ એવું નથી. આ દરમિયાન પણ ગર્ભવતી હોવાની સંભાવના રહે છે. આ સિવાય ઇન્ફેક્શનથી બચવા માટે સંબંધ કરતા પહેલા કાળજી રાખવી જરૂરી છે.

દુખાવો ના થાય તે માટેના પ્રયોગ
આદુના ટુકડાને પાણીમાં નાખી થોડા સમય માટે ઉકાળીને ત્યારબાદ તેમાં મધ નાખી હૂંફાળું પાણી પીવાથી દરિદ્રમાં ફાયદો થાય છે.
એક ચમચી એલોવેરા જ્યુસમાં એક ચમચી મધ અને પાણીને મિક્સ કરીને પીવાથી વધુ બ્લીડીંગ થતું હોય તેમાં રાહત થાય છે.
પાણીમાં તુલસીના 6 થી 7 પણ નાખીને ઉકાળીને પીવાથી કમજોરી અને દર્દમાં ફાયદો થાય છે.
પાઈનેપલના ચારથી પાંચ પીસ ખાવાથી મસલ્સને રિલેક્સ કરીને દર્દમાં ફાયદો થાય છે.

પપૈયુંના 4થી 5 ટુકડા ખાવવાથી તમે રહેલા કેલ્શિયમ, આયરન અને વિટામીનને કારણે દર્દમાં રાહત થાય છે.
2થી 3 કેળા ખાવાથી તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમના કારણે દર્દ દૂર થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks