રાતોરાત થઇ જશો માલામાલ, સાવરણીમાં બાંધી દો આ વસ્તુ- જાણો
આજના સમયમાં મોટાભાગના લોકો આર્થિક સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. ઘણીવાર મહેનત કરવા છતાં પણ યોગ્ય પરિણામ નથી મળતા, ત્યારે જ્યોતિષની અંદર ઘણા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી તમારી આર્થિક સમસ્યા સુધરી શકે છે. એવો જ એક ઉપાય છે સાવરણીનો.

દરેક ઘરની અંદર સાવરણીની જરીરુયાત રહેતી હોય છે. સાવરણીનો ઉપયોગ આપણે ફક્ત કચરો સાફ કરવા માટે જ કરતા હોઈએ છીએ, અને કચરો કાઢી લીધા બાદ તેને કોઈ ખૂણામાં નાખી દઈએ છીએ પરંતુ શું તમને ખબર છે એક નાની એવી સાવરણીથી પણ તમારી કિસ્મત બદલાઈ શકે છે. સામાન્ય સાવરણીથી પણ તમારી કિસ્મત ચમકાવી શકે છે, ચાલો જાણીએ કેવી રીતે??

યોગ્ય દિવસ જોઈને કરવી સાવરણીની ખરીદી:
જ્યોતિષમાં જણાવ્યા અનુસાર સાવરણી ખરીદવા માટે પણ તમારે યોગ્ય દિવસ જોવો જોઈએ કારણ કે સાવરણીથી જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ આ બાબતે જણાવવામાં આવ્યું છે માટે સાવરણી ખરીદો ત્યારે પણ યોગ્ય દિવસ જોઈને જ ખરીદજો.

ક્યાં દિવસે ખરીદવી સાવરણી?:
સાવરણી ખરીદવા માટે વાસ્તુ શાસ્ત્રમાં પણ કેટલાક દિવસો સૂચવવામાં આવ્યા છે, જો તમે આ દિવસે સાવરણીની ખરીદી કરો છો તો પણ તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શનિવાર, મંગળવાર અને રવિવારનો દિવસ સાવરણી ખરીદવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જો તમે શનિની સાડાસાતીથી પીડાઈ રહ્યા હોય તો શનિવારના દિવસે સાવરણી ના ખરીદવી જોઈએ, કારણ કે શનિવારે સાવરણી ખરીદવાથી શનિદેવનો પ્રકોપ વધી શકે છે.

ઘરમાંથી જૂની સાવરણી બહાર ક્યારે નાખવી ?:
મોટાભાગના લોકો ઘરમાં રહેલી સાવરણી જૂની થતા નવી સાવરણી લાવીને જૂની સાવરણીને બહાર ફેંકી દેતા હોઈએ છીએ, અને તેના માટે આપણે કોઈ દિવસ કે કોઈ સમય નક્કી નથી કરતા, પરંતુ જો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો તેના માટે પણ યોગ્ય દિવસ નક્કી કરવામાં આવ્યો છે. જો તમે શુક્રવારના દિવસે સાવરણીને બહાર ફેંકો છો તો તે ઘણું જ અશુભ માનવામાં આવે છે કારણ કે એ દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે અને જૂની સાવરણી સાથે લક્ષ્મી મા પણ તમારા ઘરમાંથી વિદાય લઈ લે છે. સાવરણીને બહાર ફેંકવા માટેનો શ્રેષ્ઠ દિવસ શનિવારનો માનવામાં આવે છે જો આ દિવસે તમે સાવરણી બહાર ફેંકો છો તો તમારા ઘરની ગરીબી પણ તેની સાથે જ ચાલી જાય છે.

માલામાલ થવા માટે સાવરણીનો કરો આ ઉપાય:
જ્યોતિષમાં જણાવ્યા પ્રમાણે જો લક્ષ્મી માતાજીની કૃપા તમારા ઘર ઉપર બનાવી રાખવા માંગો છો તો જયારે પણ સાવરણી ખરીદો ત્યારે એ સાવરણી ઉપર એક સફેદ રંગનો દોરો પણ બાંધી દેવો જોઈએ. જેનાથી લક્ષ્મી માતાજી પણ ઘરની બહાર નથી જતા. અને તમારા ઘરની અંદર સદાય તેમનો વાસ રહે છે જેનાથી ધન ધાન્ય પણ ભરેલું રહે છે.

નવી સાવરણી ઉપયોગ કરવાનો યોગ્ય દિવસ:
નવી સાવરણી વાપરવાના પણ શ્રેષ્ઠ દિવસ હોય છે, સાવરણી વાપરવા માટે શ્રેષ્ઠ દિવસ છે શનિવારનો, શનિવારના દિવસે સાવરણીનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. નવી સાવરણી વાપરતા પહેલા તેને ઘરની બહારના મુકવી અને ઘરમાં પણ એ રીતે રાખવી જેનાથી કોઈની નજર પણ ના પડે.