શિયાળાની શરૂઆત સાથે શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે ઘણા પ્રકારના ઉપાયો કરતા હોઈએ છે. કસરત અને યોગની સાથે સાથે કેટલીક અલગ વસ્તુઓ પણ આપણે આદરમિયાન ખાવાનું શરૂ કરી દઈએ છે. તો આ શિયાળાની ઠંડીમાં તમે ખજૂર ખાવાનું શરૂ કરો છો તો તમારા શરીરને ઘણા બધા ફાયદા થઇ શકે છે.

ખજૂર શરીર માટે સૌથી શ્રેષ્ઠ છે. આમ તો બારેમાસ ખજૂર શરીર માટે ઉપયોગી છે તે છતાં પણ શિયાળાની અંદર આપણી શરીરની આંતરિક પ્રક્રિયા થોડીક બદલાતી હોય છે અને આ સમય દરમિયાન જો તમે ખજૂરનું સેવન શરૂ કરી દો છો તો તમારા શરીરમાં ઘણા આશ્ચર્યજનક બદલાવ આવી શકે છે.

તો ચાલો જાણીએ ખજૂર ખાવાથી આપણા શરીરમાં શું ફાયદા થાય છે.

તાકાત (એનર્જી) વધારવામાં મદદરૂપ:
ખજૂરની અંદર ભરપૂર માત્રામાં ફાયબર, આયરન, કેલ્શિયમ, વિટામિન અને મેગ્નેશિયમ મળી આવે છે. શિયાળાની ઠંડીમાં આ બધા તત્વો શરીરમાં ગરમી પેદા કરે છે જેના કારણે તમારી આંતરિક તાકાતમાં વધારો થાય છે.

પાચનક્રિયાને બનાવે છે ઝડપી:
ખજૂરની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે જે તમારી પાચનક્રિયાને વધુ મજબૂત બનાવે છે. જેના કારણે તમને એસીડીટી જેવા સમસ્યાથી છુટકારો મળે છે. રોજ સવારે ઉઠતાની સાથે ભૂખ્યા પેટે ખજૂર ખવામાં આવે તો એસીડીટીની સમસ્યામાં રાહત મળે છે.

હાડકા બનાવે છે મજબૂત:
ખજૂરમાં મેગ્નીજ, કોપર અને મેગ્નેશિયમ રહેલા છે જે તમારા હાડકાને મજબૂત બનાવે છે. શિયાળામાં જો તમે રોજ ખજૂરનું સેવન કરવાનું શરૂ કરી દો છો તો તમારા હાડકા વધુ મજબૂત બનશે। કસરતની સાથે સાથે ખજૂર પણ તમને ગુરૂણકારી બની રહેશે.

સ્ટ્રોક આવવાનો ખતરો ટળે છે:
ખજૂરની અંદર પોટેશિયમની સાથે થોડી માત્રામાં સોડિયમ પણ રહેલું છે જેના કારણે તમારી નર્વ્સ સિસ્ટમ બરાબર રહે છે અને શરીરમાં જમા થતા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવામાં મદદ કરે છે જેના કારણે સ્ટ્રોક આવાનો ખતરો પણ ઓછો થાય છે.

અસ્થમાના દર્દીઓ માટે લાભદાયક:
શિયાળો શરૂ થતાની સાથે જ અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો આ સમયે જો રોજ સવારે તમે બે કે ત્રણ ખજૂર ખાવાનું શરૂ કરી દેશો તો તમને આ તકલીફમાં થોડી રાહત જરૂર મળશે.

હૃદય માટે છે લાભદાયક:
વધારે પડતી ઠંડીના કારણે હાર્ટએટેક આવવાની સંભાવના રહેતી હોય છે પરંતુ જો તમે શિયાળામાં ખજૂરનું સેવન કરો છો તો ખજૂર તમારા હૃદયના ધબકારાને ઓછા થતા અને વધતા અટકાવે છે. જેનાથી તમને હૃદય સંબંધી તકલીફો થવાનો ખતરો પણ ઓછો રહે છે.

ચહેરાની સુંદરતામાં કરે છે વધારો:
ખજૂર શરીરને સ્વસ્થ રાખવામાં તો મદદગાર બને જ છે સાથે સાથે ખજુરથી તમારા ચહેરાની સુંદરતામાં પણ વધારો થઇ શકે છે. ખજૂરની અંદર એન્ટી-એજિંગ ગુણ રહેલા છે જેના કારણે ઘડપણ જલ્દી નથી આવતું અને ચહેરો સુંદર પણ બને છે.

શરદી-ઝુકામમાં રાહત આપે છે:
શિયાળો શરૂ થતાની સાથે જ ઘણા લોકોને શરદી ઝુકામની સમસ્યા સતાવવા લાગતી હોય છે. પરંતુ જો તમે રોજ 2-3 ખજૂર, કાલા મરી અને ઇલાયચીને પાણીમાં ઉકાળી રોજ રાત્રે સુતા પહેલા પીવાનું રાખશો તો આ સમસ્યામાં પણ તમને ફાયદો થશે.

બ્લડ પ્રેશરને રાખે છે નિયંત્રણમાં:
ખજૂરમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ વધતા બ્લડ પ્રેશરને રોકવામાં ખુબ જ મદદગાર બને છે. રોજ 5-6 ખજૂર ખાવા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક છે.

વજન વધારવામાં મદદગાર:
જો તમે ઓછા વજનની સમસ્યાથી પરેશાન છો તો તમારા માટે ખજૂર ખુબ જ ફાયદાકારક છે.ખજૂરની અંદર સુગર, વિટામિન અને કેટલાક જરૂરી પ્રોટીન રહેલા છે જે વજન વધારવામાં ખુબ જ મદદગાર રહે છે. રોજ 5-6 ખજૂર ખાવાથી થોડા જ દિવસમાં તમારા શરીરમાં આવેલો તફાવત તમે જોઈ શકશો.

તો આ છે ખજૂર ખાવાં ફાયદાઓ, જે તમારા શરીરને તંદુરસ્ત બનવવામાં ખુબ જ ઉપયોગી રહેશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.