રાજસ્થાનના બાડમેરમેં ભારતીય વાયુસેનાનું મિગ 21 વિમાન થયું ક્રેશ, બે જવાનો થયા શહીદ, જુઓ તસવીરો

દુઃખદ સમાચાર: ભારત મિગ 21 દુર્ઘટનામાં બે બહાદુર પાયલોટોને ખોઈ બેઠું, જુઓ તસવીરો

ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું છે. બાડમેરના ભીમડા ગામમાં મિગ-21 ક્રેશ થયું. લોકોએ જોરદાર ધડાકા સાથે આગની વિશાળ જ્વાળાઓ જોઈ. મિગ-21 ક્રેશની જાણ થતાં ગામમાં ગભરાટ ફેલાયો હતો. પ્લેનનો કાટમાળ પણ અડધા કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાઈ ગયો હતો. વહીવટીતંત્ર ઘટનાસ્થળે રવાના થઈ ગયું છે. આ અકસ્માતમાં બંને પાયલોટ શહીદ થયા હતા.

દુર્ઘટના બાદ એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. વાયુસેનાએ કહ્યું કે અકસ્માત અંગે તથ્યો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બાડમેર જિલ્લા કલેક્ટર લોક બંધુએ જણાવ્યું હતું કે, “તે એરફોર્સનું વિમાન હતું જે ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું.” ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટના બંને પાયલટોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. ભારતીય વાયુસેના ખૂબ જ ખેદ વ્યક્ત કરે છે અને પીડિત પરિવારોની સાથે મજબૂત રીતે ઉભી છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે બાડમેરમાં મિગ-21 ફાઈટર એરક્રાફ્ટના ક્રેશ પર ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી હતી. એર ચીફે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, એક ટ્વિટ દ્વારા, તેમણે રાજસ્થાનના બાડમેર પાસે IAFના મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટના દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બે વાયુ યોદ્ધાઓ પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી. રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાને ક્યારેય ભૂલી શકાશે નહીં. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

ભારતીય વાયુસેનાએ હજુ સુધી બંને પાયલોટના નામ આપ્યા નથી. મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનો મુખ્ય આધાર રહ્યો છે. જોકે, એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ગયા માર્ચમાં સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરના અકસ્માતમાં 42 આર્મી જવાનોએ જીવ ગુમાવ્યો છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં હવાઈ અકસ્માતોની કુલ સંખ્યા 45 હતી, જેમાંથી 29 કેસ આઈએએફ સાથે સંબંધિત છે.

Niraj Patel