મહેંદી વાળ માટે ખુબ જ સારી માનવામાં આવે છે, વાળમાં મહેંદી લગાવવાથી વાળ સિલ્કી અને ચમકદાર બની જાય છે. જો કે ઘણીવાર મહેંદી લગાવવાથી વાળને નુકસાન પણ થાય છે,આવું એટલા માટે કેમ કે વાળમાં મહેંદી લગાવવાના સમયે અમુક ભૂલો આપણે કરી બેસીએ છીએ. એવામાં આજે અમે તમને જણાવીશું કે વાળમાં મહેંદી લગાવવાના સમયે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ.

1. મહેંદી એક એસિડિક હોય છે. મહેંદીને ક્યારેય પણ સામાન્ય પાણી સાથે મિક્સ કરવી જોઈએ નહિ તેના બદલે ચા કે કોફીના પાણી સાથે મિક્સ કરીને વાળમાં લગાડવી જોઈએ. જેનાથી તમારા વાળનો રંગ એકદમ ઘેરો આવશે.
2. ઘણા લોકો મહેંદીમાં ઈંડુ નાખીને વાળમાં લગાડતા હોય છે. પણ ઈંડુ તમારા વાળને ખરાબ કરી શકે છે. મહેંદીમાં પણ પ્રોટીન હોય છે જે ઈંડાના પ્રોટીન સાથે બંધાઈ જાય છે, જેથી વાળને યોગ્ય પોષણ મળી શકતું નથી.

3. મહેંદીમાં ક્યારેય પણ લીંબુનો રસ ભેળવવો જોઈએ નહિ જે વાળને સિલ્કી બનવવાને બદલે રૂખા-સૂકા બનાવી દે છે. લીંબુમાં બ્લિચિંગ પ્રોપર્ટી હોય છે જે મહેંદીની સાથે મળીને વાળને એકદમ ડ્રાઈ બનાવી નાખે છે.
4. વાળમાં મહેંદી લગાવતા પહેલા ક્યારેય પણ તેલ લગાડવું જોઈએ નહિ. વાળ પર તેલ લગાવાથી એક પરત બની જાય છે જે મહેંદીના રંગને વાળ પર ચઢવાથી રોકી દે છે.

5. જો મહેંદીને ઓછા સમયમાં પલાળીને લગાડવામાં આવે તો તેનો કોઈ ફાયદો નથી મળતો, માટે બને ત્યાં સુધી મહેંદીને હંમેશા રાતે પલાળીને સવારે વાળમાં લગાડવી જોઈએ.
આ સિવાય લગ્નની સીઝનમાં પણ મહેંદી લગાવવનો રિવાજ કરવામાં આવે છે. આજના સમયે તો વર-વધુ બન્ને હાથમાં મહેંદી લગાવે છે. લગ્ન વખતે ઉત્સાહમાં આવીને મોટાભાગે લોકો મહેંદી લગાવવામાં ભૂલ કરી બેસતા હોય છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે લગ્ન વખતે હાથમાં મહેંદી લગાવવાના સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. મહેંદી કલાકારની પસંદગી:
લગ્નની મહેંદી માટે હંમેશા બેસ્ટ કલાકારની સંદગી કરવી જોઈએ. જેની સાથે જ મહેંદીની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ વસ્તુની જાંચ કરો કે મહેંદીમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપીયોગ કરવામાં ન આવ્યો હોય.

2. ડિઝાઈનની પસંદગી:
લગ્નની મહેંદી માટે ડિઝાઈનની પસંદગી કરવી પણ ખુબ મહત્વપૂર્ણ છે. મહેંદી માટે યોગ્ય ડિઝાઇન તમારા લગ્નમાં અનેક ઉત્સાહ ભરી દેશે.
3. લગ્નના અમુક દિવસ પહેલા મહેંદી લગાવો:
અમુક લોકો લગ્નના દિવસે જ મહેંદી લગાવતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે બે કે ત્રણ દિવસ પહેલાની મહેંદીનો રંગ એકદમ અલગ જ હોય છે. માટે મહેંદીને લગ્નના બે-ત્રણ દિવસ પહેલા લગાવવી જોઈએ.

4. મહેંદી લગાવ્યા પછી પણ તેનું ધ્યાન રાખો:
એ પણ ધ્યાન રાખવું જોઈએ કે મહેંદી લગાવ્યા પછીના 6 કલાક સુધી પાણી હાથ પર લગાવવું ન જોઈએ. તમે હલકું રાઈનું તેલ કે લવિંગનું તેલ હાથમાં લગાવી શકો છો. તેના પછી મહેંદીને ચપ્પુની મદદથી હટાવો અને અને પ્લાસ્ટિકથી કવર કરીને જ ઊંઘો. તેનાથી તમારી મહેંદીનો રંગ એકદમ ઘેરો આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.