ખંભાત- હિંદુ યુવકના ફરમીનબાનુ સાથે પ્રેમ લગ્ન, અચાનક આવું થતા મચી ગઇ ચકચાર- જાણો વિગત

ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે, ત્યારે વડોદરા અને વલસાડમાં આ કાયદા આધારિત એક-એક કેસ નોંધાયા છે, ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાંથી તેના વિપરીત જ એક કિસ્સો જોવા મળ્યો, જેમાં એક હિન્દૂ યુવકને યુવતી સાથે પ્રેમ થયો હતો અને જે બાદ બંનેએ લગ્ન કરવાનો પણ નિર્ણય કર્યો તે બાદ તે બંને લગ્નના બંધનમાં પણ બંધાઇ ગયા. ત્યાર બાદ તેમના જીવ ઉપર જોખમ હોવાથી પોલીસ પાસે પ્રોટેક્શનની માંગણી કરી હતી.

ખંભાતના ફરમીનબાનુએ 17 જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા હતા અને આ બાબતે યુવતિના પરિવારજને ખંભાત પોલિસમાં અરજી કરી હતી અને તે બાદ તેના પિતા અને તેના મામા સહિત અનેકે ઉત્કર્ષના પરિવારજનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવક યુવતિએ પોલિસ પ્રોટેક્શનની માંગણી પણ કરી હતી.

આ બાબતને લઇને અચાનલ આ યુગલ મહેમદાવાદ પોલિસ સ્ટેશને હાજર થયા હતા અને જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. તેઓ બંનેએ ડરને કારણે ખંભાત છોડી દીધુ અને પરિવારજનોએ પણ તેમનુ ગામ છોડી દીધુ હતુ. આ યુગલ 24 તારીખના રોજ પોલિસ સ્ટેશને હાજર થયા હતા. આ બાબતે મહેમદાવાદના પી.આઇનું કહેવુ છે કે, તે બંને પુખ્ત હોઇ તેમના જીવનના તમામ નિર્ણય લઇ શકે છે, તે બંને સ્વતંત્ર છે.

આ બાબતે પોલિસે યુવતિના માતા-પિતાને જાણ કરી હતી અને પોલિસ સ્ટેશન બોલાવ્યા હતા અને છોકરીના પિતાએ વાત કરતા યુવતિ તેના પતિને ત્યાં જ રહેવા માંગતી હતી. પોલિસે બંનેના નિવેદન નોંધ્યા હતા અને વીડિયોગ્રાફી પણ કરી હતી.

શું હતો સમગ્ર મામલો
ખંભાત તાલુકાના જૂની મંડાઈ સ્થિત સૈયદવાડા ખાતે રહેતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે લગ્ન કરી લીધા છે. જે બાદ તેણે પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને સ્વ અને પતિનું રક્ષણ માંગતી લેખિત અરજી કરી છે. યુવતીએ જણાવ્યું છે કે તેને પોતાની મરજીથી જ યુવક સાથે લગ્ન કર્યા છે અને હવે આ લગ્ન બાદ તેને પોતાના પિયર તરફથી તેના અને તેના પતિના જીવ ઉપર જોખમ છે.

આ બાબતે યુવતીએ અરજીમાં જણાવ્યું હતું કે, ફરમીનબાનુએ ગત 19મી જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. 17મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલે કપડે ત્યજી દીધું હતું. હાલમાં તેના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોઈ, તેઓ તેમને છુટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. જોકે તેણે હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં દંપતી ભયભીત હોઈ ખંભાત છોડી સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે.

ફરમીનબાનુએ કરેલી અરજીમાં કેટલાક નામનો પણ ઉલ્લેખ કરેલો છે. જેના દ્વારા તેના અને તેના પતિના જીવને ખતરો હોવાનું પણ જણાવી રહી છે. તેમજ જો તેને અથવા તેના પતિને કઈ થશે તો તેની જવાબદારી અરજીમાં આપેલા નામ વાળા લોકોની રહેશે એમ પણ તેને જણાવ્યું છે.આ ઉપરાંત તેને એક 30 સેકેન્ડનો વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેને વીડિયોમાં જણાવ્યું છે કે તેને પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને આ લગ્નથી તે ખુબ જ ખુશ છે.

Shah Jina