જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળવારના દિવસે કોઈ પણ વ્યક્તિએ વાળ અને નખ ના કાપવા જોઈએ. કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી મંગળ દેવ અને હનુમાનજી નારાજ થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવવાની સંભાવનાઓ વધી જાય છે. સાથે જ ધનનો નાશ પણ થાય છે. તેથી મંગળવારના દિવસે વાળ, દાઢી અને નખ કાપવા જોઈએ નહીં.
ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવારના દિવસે બજરંગબલીની પુજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પવનપુત્ર હનુમાન ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે. તેના સિવાય ધાર્મિક માન્યતા એવી પણ છે કે, મંગળવારના દિવસે મારૂતિ નંદનની પુજા કરવાથી વ્યક્તિ શનિના પ્રકોપથી બચી જાય છે.
આ વસ્તુઓનું સેવન ન કરવું
ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારના દિવસે માંસ-દારૂથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ તમામ ચીજો તામસિક પ્રવૃતિની માનવામાં આવે છે જ્યારે બજરંગબલી સાત્વિક પ્રકૃતિના દેવતા છે. જો મંગળવારના દિવસે તમે આ ચીજોની અવગણના નહીં કરો તો હનુમાનજી નારાજ થઈ શકે છે. જેનું ખરાબ પરિણામ તમારા સ્વાસ્થ્ય, કરિયર અને પરિવાર પર પડી શકે છે.
વ્રતના સમયે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું
જો કઈ પણ શખ્સ મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત કરે છે તો તેણે વ્રત દરમિયાન મીઠાનું સેવન ના કરવું જોઈએ. જો વ્રત દરમિયાન તમે મીઠાનું સેવન કર્યું તો તે ભંગ માનવામાં આવે છે. અને વ્રતનું ફળ પણ મળતું નથી. ભક્તોને સલાહ આપવામાં આવે છે કે વ્રત દરમિયાન પુજા કર્યા બાદ બજરંગબલીની આરતી જરૂર કરો. આવું કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)