સગીરાને ફોટાશૂટનો શોખ હોવાથી ફ્રેન્ડનો મામો હોટેલમાં લઇ ગયો, માણ્યું સુખ પછી અચાનક જ
ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. યુવકો અને આધેડ દ્વારા અવાર નવાર યુવતિઓ અને સગીરાને ફસાવવામાં આવે છે અને પછી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવામાં આવતો હોય છે. હાલમાં અમદાવાદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પીડિત સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સગીરાના મિત્રના મામાએ સગીરા સાથે મિત્રતા કરી અને તેને ફોટોશૂટ કરાવવાના બહાને હોટલમાં લઈ બળાત્કાર ગુજાર્યો. ફરિયાદના આધારે હાલ તો પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. આરોપી જય કિશન પૂર્વ વિસ્તારમાં નરોડા પાસે રહે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
પહેલા તેણે સગીરા સાથે મિત્રતા કરી અને પછી ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે નંબરની આપ-લે કરી. તે બાદ વાતચીત કરી સગીરાને ફોટાશૂટનો શોખ હોવાથી જાળમાં ફસાવી તેને હોટલમાં લઇ ગયો અને ત્યાં તેને આલિંગનમાં લઇ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી સગીરાના મિત્રના મામા હતા. તેણે તેના મામા સાથે આ સગીરાની મુલાકાત કરાવી હતી અને બાદમાં ફ્રેન્ડના મામાને ભાણીયાની મિત્ર ગમી ગઇ તે બાદ તેણે પ્રેમનું નાટક કરી લગ્નની લાલચ પણ આપી હતી.સગીરા તેની માતા સાથે કુબેર નગરમાં રહે છે. થોડા સમય પહેલા આ મહિલા સોલા વિસ્તારમાં તેના પતિ અને દીકરી સાથે રહેતી હતી.
પરંતુ લગ્ન જીવનમાં મનમેળ ન આવતા અને પતિ સાથે મનદુઃખ થતા આ મહિલા પિયરમાં આવી ગઈ. તે બાદ માતાની તબિયત ખરાબ થતા તેમની પાસે રહેવા ગઈ હતી. આ મહિલા તેની માતાની સેવા કરતી હતી તે દરમિયાન ત્રણેક મહિના પહેલા તેઓનું મોત થયું હતું. હાલ તો આ મહિલા તેની દીકરી અને ભાઈ સાથે કુબેરનગર વિસ્તારમાં રહે છે.આરોપી જય કિશને ફોટોશૂટ માટે બોલાવી સગીરાને હોટલમાં લઇ જઇ તેની સાથે જબરજસ્તી કરી સંબંધ બાંધ્યા હતા. તે બાદ થોડા દિવસ પછી સગીરાને ફોન કરી રાજકોટ ખાતે કેટરિંગનું કામ કરવા જવાનું છે અને તારે સાથે આવવાનું છે તેમ કહેતા સગીરાએ હા પણ પાડી હતી.
તે બાદ સગીરાને લક્ઝરી બસમાં બેસાડી આરોપી ગયો હતો અને ત્યાં 20 દિવસ જેટલો સમય સગીરા રોકાઈ ત્યારે આરોપીએ સગીરાને કહ્યું કે, તું મને બહુ ગમે છે, મારે તારી સાથે સંબંધ બાંધવો છે. સગીરાએ ના પાડી તો આરોપીએ કહ્યુ કે, હું તારી સાથે લગ્ન કરીશ. સગીરાને લગ્નની લાલચ આપી રાજકોટથી અમદાવાદ આવ્યા ત્યાં સુધી ઘણીવાર સંબંધ પણ બાંધ્યો હતો. જે બાદ સગીરાને શરરના ગુપ્ ભાગે તકલીફ થતા સારવાર માટે તે ચિલોડા ખાતે એક ડોક્ટરના ક્લિનિક પર ગઈ અને ત્યાં તેણે સમગ્ર હકીકત ડોક્ટરને જણાવી.
જે બાદ વિદેશ રહેતા એક ઓળખીતા સાથે સગીરાની વાત કરાવતા તેઓએ એનજીઓની એક મહિલાનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં આ મહિલા સગીરાને લઈને તેની માતા પાસે પહોંચી હતી. હાલ તો તપાસમાં જય કિશન સગીરાને કેટરિંગનું કામ કરાવવાના બહાને રાજકોટ લઇ ગયો હોવાનું અને અનેકવાર સગીરા સાથે સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. સગીરા રાજકોટથી આવ્યા બાદ ત્રણેય શરરના ગપ્ત ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. સગીરાને તકલીફો શરૂ થયા બાદ તે પહેલા એક ડોક્ટર પાસે અને ત્યાં તેને એક એનજીઓની મહિલા મળી, જે બાદ તેણે સગીરાની માતાનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલાની જાણ કરી. આટલું જ નહીં આરોપીના ઘરે સગીરાની માતા જતા આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનું સ્વીકાર્યું પણ હતું.