ખબર

ચેતી જજો આવા બૈરાઓથી…ગાંધીનગરમાં રહેતા યુવાનને લગ્ન બાદ લૂંટી લીધો અને બાદમાં દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી

વધુ એક લૂંટેરી દુલ્હને કર્યો મોટો કાંડ, મહારાષ્ટ્રની આ સુંદર યુવતીએ ગુજરાતી યુવક સાથે શરીર સુખ માણીને પછી…

રાજ્યમાં ઠેર ઠેર લુન્ટરે દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં લગ્નની ઈચ્છા રાખતા યુવાનોને કેટલાક લોકો પોતાની જાળમાં ફસાવે છે અને તેના તેમનીજ ગેંગની કોઈ સભ્ય સાથે લગ્ન કરાવી લગ્નની રાત્રે જ કે થોડા દિવસો બાદ મુરતિયાનું ઘર સાફ કરી, રૂપિયા ઘરેણાં લઈને ફરાર થઇ જાય છે, પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવનારો છે, જેમાં લૂંટેરી દુલ્હને મુરતિયાને લૂંટી તો લીધો સાથે સાથે તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પણ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઇડર તાલુકાના રાવોલ ગામના રોહિતકુમાર જેઠાભાઈ પરમાર સૂરત ખાતે ફાયનાન્સનો વ્યવસાય કરે છે અને તે હાલ ગાંધીનગર રહે છે નવ મહિના પહેલા સોશ્યલ મીડીયાના માધ્યમથી રાગીણી મૂનૂટ નામની મહિલા સાથે તેનો પરિચય થયો હતો.  જેના બાદ બંને વચ્ચે સતત વાતો થવા લાગી હતી.

પરિચયમાં આવ્યા બાદ રાગીણીએ પોતાનું અસલી નામ રાગીણી અજય શર્મા હોવાનું જણાવ્યું હતું. જેના બાદ રોહિતે તેને મળવા કહેતા રોહિતે અહમદનગરથી અમદાવાદની તેની ટિકિટ પણ બુક કરાવી આપી હતી.

જેના બાદ તા.07/09/20ના રોજ રાગીણી શર્મા અમદાવાદ થઈ અને ગાંધીનગર આવી હતી અને ગાંધીનગરમાં રોકાણ દરમિયાન તેને રોહિતને પોતે વિધવા હોવાનું જણાવ્યું હતું. જેના બાદ તેને  રોહિત સાથે લગ્ન કરવાનું પણ કહ્યું હતું.

જેના બાદ તા.09/09/20ના રોજ રોહિતકુમારે દહેગામ તાલુકાના લીંબુતેડા ખાતે મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો એટલે કે તા.15/09/20 ના રોજ રાગીણી અહમદનગર પરત જતી રહી હતી અને તા.22/09/20 ના રોજ તે પરત આવી હતી અને તા.12/10/20 સુધી રોકાઈ હતી.

ત્યારબાદ ડિસેમ્બર-2020માં લાલચંદ કૂંપાવત નામના શખ્સે ફોન કરી કહ્યું હતું કે રાગીણી પર 12 થી 15 લાખ દેવું છે તે તમે ભરી દો અને રાગીણીને લઈ જાઓ. જેથી રોહિતકુમારે બે ચેક કુરિયરથી મોકલી આપ્યા હતા દરમિયાનમાં આ શખ્સે દુષ્કર્મની ફરિયાદ કરાવવાની ધમકી આપતા બંને ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું. આ ઘટના બાદ ફેબ્રુઆરી માસમાં રાગીણી સાથેના સંબંધોને લઈ લાલચંદ કૂંપાવત અને રવિન્દ્ર પાલ નામના શખ્સોએ ફરીથી ધમકીઓ આપી હતી

દરમિયાનમાં તા.04/04/21 ના રોજ રાગીણી ફરીથી પરત આવતા તેને લઈ દેશોતર આવ્યા હતા અને તા.08/04/21 ના રોજ રાગીણી સોનાનું ડોકિયું, ચાંદીના પાયલ અને રૂ.3.50 લાખ લઈ બપોરે ફરાર થઈ ગઈ હતી. આ બાબતે રોહિતકુમારે પોલીસ સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું છે કે રાગીણી શર્માએ આવી જ ઓપરેન્ડીથી અહેમદનગરના જીતેન્દ્ર રમેશ પાતોડે નામના વ્યક્તિ ઉપર દુષ્કર્મનો કેસ કરી રૂ.20 થી 25 લાખ પડાવ્યા હોવાનું તથા ગૌરવ મૂનૂટ નામના શખ્સને ફસાવી લગ્ન કરી રૂ.13.50 લાખ લીધા છે અને અહેમદનગર એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે.

ગત તા.06/05/21 ના રોજ સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે રોહિતને દેશોતરના અલાઉદ્દીન મસુના ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતા અને બે ગાડીઓ ભરીને આવેલા શખ્સોએ માર મારી ધમકીઓ આપી જાતિ વિષયક અપમાનિત કરી રોહીતની કારને પણ નુકસાન કર્યું હતું. જે બાબતે રોહિતે 15 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.