27 વર્ષ બાદ મહાકુંભમાં પતિનું પુનઃમિલન, પતિનો અઘોરી અવતાર જોઈ પત્નીને લાગ્યો ઝટકો! જુઓ ચોંકાવનારી કહાની

શું તમે કુંભ મેળામાં અલગ થઈ ગયા…? નાનપણથી સાંભળેલી આ પંક્તિ જાણે આજે સાચી સાબિત થઈ રહી છે. કારણ કે, ઝારખંડના એક પરિવારને કુંભ મેળામાં 27 વર્ષ પહેલાં પટનાથી ખોવાયેલા તેમના પરિવારના સભ્ય મળ્યા છે, જોકે, તે સભ્ય હવે ‘અઘોરી બાબાના વેશમાં’ છે.

27 વર્ષ પછી પત્નીને કુંભ મેળામાં મળ્યા તેના પતિ

ઝારખંડના એક પરિવારે મહાકુંભ મેળામાં 27 વર્ષથી ગુમ થયેલા પરિવારના સભ્યને મળ્યાનો દાવો કર્યો છે. આ પરિવારનો દાવો છે કે, ગંગાસાગર યાદવ, જે 1998માં પટનાથી અચાનક ગુમ થયા હતા, તેઓ હવે ‘અઘોરી’ સાધુ તરીકે જીવન જીવી રહ્યા છે અને ‘બાબા રાજકુમાર’ તરીકે ઓળખાય છે. તેમની ઉંમર હાલમાં 65 વર્ષ છે. તેમના એક સંબંધીએ કુંભ મેળામાં એક સાધુને જોઈને તેમની તસવીર પરિવારને મોકલી, જે બાદ પરિવાર તરત જ પ્રયાગરાજ પહોંચી ગયો. જો કે, બાબા રાજકુમારે જૂની ઓળખને સ્વીકારવાનું નકારી કાઢ્યું છે, પરંતુ પરિવાર તેમના શરીર પરના નિશાનના આધારે દાવો કરી રહ્યો છે. તેઓ હવે આ બાબતે DNA ટેસ્ટ કરાવવાની માંગ કરી રહ્યા છે, જેથી સત્ય સામે આવી શકે.

અઘોરી બાબાએ ઓળખને નકારી

પરિવારનો દાવો છે કે, તેઓ તેમના ગંગાસાગર યાદવને બાબા રાજકુમાર તરીકે ઓળખતા હતા, પરંતુ સાધુએ તેમની જૂની ઓળખનો સંપૂર્ણપણે ઇનકાર કર્યો હતો. બાબા રાજકુમારે પોતાને વારાણસીના સંત ગણાવ્યા અને કહ્યું કે તેમનો ગંગાસાગર સાથે કોઈ સંબંધ નથી. તેમની સાથે હાજર એક સાધ્વીએ પણ આ વાતને સમર્થન આપ્યું. જોકે, પરિવારે તેમના શરીર પર હાજર કેટલાક ખાસ ઓળખ ચિહ્નોના આધારે દાવો કર્યો હતો કે તે ગંગાસાગર હતો. પોતાના લાંબા દાંત, કપાળ પર ઈજાના નિશાન અને ઘૂંટણ પર જૂનો ઘા બતાવતા તેણે કહ્યું કે આ એ જ વ્યક્તિ છે. પરિવારે આ મામલે કુંભ મેળા પોલીસની મદદ માંગી છે અને DNA ટેસ્ટની માંગ કરી છે, જેથી વ્યક્તિની વાસ્તવિક ઓળખ સાબિત થઈ શકે.

બાબાનું DNA ટેસ્ટ કરાવશે

પરિવારજનોએ કહ્યું કે, અમે ડીએનએ ટેસ્ટ કરાવીશું અને સત્ય બહાર લાવીશું. જો પરીક્ષણમાં અમારો દાવો ખોટો સાબિત થશે તો અમે બાબા રાજકુમારની માફી માંગીશું. હાલમાં, પરિવારના કેટલાક સભ્યો ઘરે પરત ફર્યા છે, પરંતુ કેટલાક હજુ પણ કુંભ મેળામાં હાજર છે અને બાબા રાજકુમાર પર નજર રાખી રહ્યા છે. હવે જોવું રહ્યું કે, ડીએનએ ટેસ્ટથી સત્ય બહાર આવશે કે પછી આ પરિવાર ખરેખર કોઈ ગેરસમજનો શિકાર બન્યો છે.

Twinkle