રાજકોટમાં જે માતાએ દીકરાને લાડકોડથી ઉછેરીને મોટો કર્યો એ દીકરાએ પત્નીના કારણે માતાની કરી નાખી હત્યા

આ કપાતર પુત્રે પત્નીને લીધે માતાને જીવતી જ મારી નાખી, પત્નીએ સાથ આપ્યો…ઘણા નાટક કર્યા આખરે ઝડપાઇ જ ગયો…હવે કોર્ટે ફટકારી આ ખતરનાક સજા, જાણો વિગત

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ રોજ બરોજ સામે આવે છે. તમને જણાવી દઈએ કે આ ઘટના  27 સપ્ટેમ્બર 2017 રાજકોટમાં બની હતી જ્યાં એક પ્રોફેસર દીકરાએ પોતાની જ માતાની હત્યા કરી નાખી હતી એવું સામે આવ્યું હતું અને દીકરો જેલ ભેગો થયો હતો અને તેનો કેસ ચાલતો હતો તેને હવે સાડા ત્રણ વર્ષ બાદ કોર્ટે આકરી સજા ફટકારી છે ચુકાદો આપ્યો,  આ ઘટનાને દીકરાએ આપઘાતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જયારે સમગ્ર રહસ્ય ઉપરથી પડદો ઉઠી ગયો ત્યારે સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રોફેસર દીકરાએ 27 સપ્ટેમ્બર 2017  પોતાની માતાને એપાર્ટમેન્ટની છત ઉપરથી નીચે ફેંકી દીધી હતી. અને આ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવી હતી, પરંતુ આ ઘટનાના બાદ દીકરાએ જ માતાની હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થઇ ગયો છે.

આ બાબતે વધુ મળી રહેલી માહિતી અનુસાર પ્રોફેસર દીકરા સંદીપ નાથવાણીએ તેની વૃદ્ધ માતા જયશ્રીબે નથવાણીની ચોથામાળેથી ફેંકી દીધી અને હત્યા કરી નાખી હતી, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. શરૂઆતમાં આ ઘટના આત્મહત્યા લાગતી હતી, પરંતુ સીસીટીવી ફુટેજમાં ખુલાસો થતા કપાતર દીકરાની કાળી કરતૂત સામે આવી છે.

સામે આવેલી સીસીટીવી ફુટેજમાં સંદીપ નથવાણી અગાસી પર જ્યારે પોતાની માતાને લઇ જઇ રહ્યો હોય છે. ત્યારે પોતાની માતાને ચંપલ પહેરાવે છે. પરંતુ સંદીપ નથવાણી જ્યારે અગાસી પરથી નીચે આવે છે ત્યારે પોતાની માતાએ પહેલા ચપ્પલ પોતે પહેર્યા હોવાનું સીસીટીવીમાં કેદ થાય છે. તો સાથે જ સીસીટીવીમાં દર્શાવેલ સમય મુજબ 8:56:40 સેકન્ડ પર જ્યારે જયશ્રીબેનનું મૃત્યુ થાય છે તે સમયે તેના પુત્રની હાજરી તેના ફ્લેટમાં નહીં પરંતુ અગાસીમાં જ હોવાનું સામે આવે છે.

આરોપી સંદીપે પોતાનો ગુન્હો કબુલતા જણાવ્યું હતું કે તે તેની માતાની લાંબી બીમારીથી કંટાળી ગયો હતો, આ ઉપરાંત પત્ની સાથે પણ અવાર નવાર જગડા થતા હોવાના કારણે તેને તેની માતાની હત્યા કરવાનું કાવતરું બનાવ્યું હતું. પોલીસે આરોપી પુત્રના જવાબના આધારે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

રાજકોટ પોલીસે આ ઘટનાની તપાસ પછી માતાના હત્યારા પ્રોફેસર પુત્રને જેલ હવાલે કર્યો હતો. જનેતાની ઠંડા કલેજે હત્યા કરનાર પુત્ર સામેનો હત્યા કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોક્ટર, પોલીસ, ફ્લેટ ધારકો,આરોપીની બહેન અને બનેવી સહિત 28 વ્યક્તિના મૌખિક પુરાવા અને રેકોર્ડ પરની તમામ હકીકતો ધ્યાને એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એન.દવેએ જનેતાને ચોથા માળેથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારનાર કપૂત સંદીપ નથવાણીને ખૂનના ગુનામાં તકસીરવાન ઠેરવતો હુકમ ફરમાવી હત્યારા પુત્રને કોર્ટે આજીવન કેદનો ચુકાદો ફરમાવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સીસીટીવીમાં કેદ થયો હતો.

Niraj Patel