2020નો પ્રારંભ થઇ ચુક્યો છે. 2020માં બધા લોકોને એવી ઈચ્છા હોય કે, તેના ઘર પરિવારમાં શાંતિ અને ખુશી રહે. આ સાથે જ લોકો એવી પણ ઈચ્છા ધરાવતા હોય છે કે, તેને આર્થિક તંગીનો સામનો ના કકરવો પડે. સૌ કોઈ આજે ઇચ્છતું હોય છે કે, માતા લક્ષ્મીજીની કૃપા તેના પર સદૈવ રહે.
આ સાથે જ તેને બધી તકલીફમાંથી મુક્તિ મળે. આજે લોકો પૈસા મેળવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, છતાં પણ તે બે પાંદડે થતા નથી. તો ઘણા લોકોએ હર હંમેશ માટે પૈસાની તંગી વર્તાતી હોય છે.

તમારે તકલીફથી મુક્તિ પામવી હોય તો ગમે તે શુક્વારે રાતના સમયે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.
આવો જાણીએ શું ઉપાય કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે.
કોઈ પણ શુક્રવારે રાતના સમયે ધનપ્રાપ્તિ માટે નાહીને ચોખ્ખા થઇ ઘરના પૂજા સ્થળ પર લક્ષ્મીજીની સ્થાપના કરી ગાયના ઘીના 2 દિવા કરો.

આ બાદ આ મંત્રનો જાપ કરો જેનાથી માતા લક્ષ્મીજી હંમેશા રહે છે. मंत्र- ऊँ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नम:

શુક્રવારની રાતે પૂજા કર્યા બાદ ગુલાબનું અતર માતા લક્ષ્મીજીને અર્પણ કરો. આ અત્તર અર્પણ કરવાથી રતિ અને કામસુખની પ્રાપ્તિ થશે.
લક્ષ્મીજીને શુક્રવારની રાતે ચંદનનું અત્તર અર્પણ કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

આ સાથે જશુક્રવારની રાતે 11 નાના નાળિયરે પીળા કાપડમાં બાંધીને ઘરના રસોડામાં પૂર્વ દિશામાં ખૂણામાં બાંધીને રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારે પણ અન્ન-ધનની કમી નથી આવતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.