મકાન માલકીન અને ભાડુઆત વચ્ચે હતા અતરંગી સંબંધો, પરંતુ કોઈ કારણોસર થઇ ગયું બ્રેકઅપ, પછી ભાડુઆત યુવકે જે કર્યું તે રૂંવાડા ઉભા કરી દેશે

ઘોર કળયુગ હો…!!! યુવતીને ભાડૂઆત યુવક સાથે બંધાયા શરીર સંબંધ, છેલ્લે હત્યા સુધી વાત પહોંચી…ફિલ્મોને ટક્કર આપે એવી કહાની

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના ઢગલાબંધ મામલાઓ સામે આવવા લાગ્યા છે, ઘણા લોકો અંગત અદાવતમાં કોઈનો જીવ લઇ લે છે તો ક્યાંક પ્રેમ પ્રસંગોમાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં મકાન માલકીનની હત્યા કરી દેવામાં આવી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રમાંથી જ્યાં એક 39 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે તેના પ્રેમીએ આ હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મામલો ઘણો જટિલ છે. જે યુવક પર હત્યાનો આરોપ છે તે મહિલાના ઘરમાં ભાડે રહેતો હતો. લોકડાઉન દરમિયાન આરોપી તેના ગામ ગયો હતો. પરંતુ પુણે પરત ફરતાં મહિલાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આથી તે ખૂબ જ ગુસ્સામાં આવી ગયો અને ગુસ્સામાં આવીને તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. આ અંગે વિમંત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આરોપીની ઓળખ ગુલામ શેખ તરીકે થઈ છે. 30 વર્ષીય શેખ બિહારનો રહેવાસી છે. જ્યારે મૃતકની ઓળખ સુનીતા સૂર્યવંશી તરીકે થઈ છે. આ અંગે મૃતકના પતિ રઘુનાથ સૂર્યવંશીએ ફરિયાદ નોંધાવી છે. અંગ્રેજી અખબાર પુણે મિરર અનુસાર, હત્યાના દિવસે શેખ પીડિતાના ઘરે આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી આરોપી મહિલાનું ગળું દબાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 (હત્યાની સજા), 452 (ઇજા, હુમલો અથવા ખોટી રીતે સંયમ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકના પરિવારને તેના એક્સ્ટ્રા મેરીટલ અફેરની જાણ હતી. આથી પરિવારના સભ્યોએ પણ મહિલાને ઠપકો આપ્યો હતો, ત્યારબાદ તેણે સંબંધ તોડવાનો નિર્ણય લીધો હતો અને શેખ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ પછી શેખને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેની અવગણના કરવાનું શરૂ કર્યું.

એક દિવસ પીડિતા ઘરમાં એકલી હોવાથી આરોપી અંદર ઘુસી ગયો અને તેની સાથે મારપીટ કરી. તેની ચુંગલમાંથી છૂટીને તે બાથરૂમમાં દોડી ગઈ અને પોતાની જાતને બંધ કરી દીધી. જોકે, શેખે દરવાજો તોડીને તેણીની હત્યા કરી હતી. આ જઘન્ય ગુનો કર્યા બાદ તે દરવાજો બંધ કરીને ભાગી ગયો હતો. જ્યારે તેના પતિ અને પુત્રો ઘરે પરત ફર્યા તો તેઓએ દરવાજો બંધ જોયો. તેઓએ વિચાર્યું કે તેણી બહાર ગઈ હશે અને તેને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. 11.30 વાગ્યા સુધી તે પરત ન આવતાં તેઓએ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. મૃતદેહ જોઈને તે સ્તબ્ધ થઈ ગયા.

Niraj Patel