જૂનાગઢના મુનવ્વર ફારૂકી પછી કોમેડિયન કુણાલ કામરા પણ ફસાયો – જાણો વિગત

દેશમાં અપરાધ, પ્રદૂષણ, નફરત બધું જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ આને કોઈ રોકી શકતું નથી.  જાગરુક લોકો આ દિવસોમાં કોમેડી શો બંધ કરવામાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા કોમેડિયન મુનવ્વર ફારૂકીનો શો કેન્સલ કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે મુનવ્વરનો કોમેડી શો કેન્સલ થયો હોય. હિંસાના ડરને કારણે તેના શો ઘણીવાર રદ કરવામાં આવે છે. અંતે, મુનવ્વર ફારૂકીએ આનાથી કંટાળીને તેની કોમેડી કારકિર્દી છોડી દીધી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, નફરત જીતી, કલાકાર હારી ગયો. માત્ર મુનવ્વર જ નહીં, તંત્રના ટાર્ગેટ બનેલા કુણાલ કામરાનો પણ મોટાભાગે આવા જ કારણોસર અવારનવાર કેન્સલ થઈ જાય છે. કુણાલે પોતે ટ્વિટર પર આ માહિતી આપી હતી.

મુનવ્વર ફારૂકી બાદ કોમેડિયન કુણાલ કામરાનો બેંગલુરુમાં શો પણ રદ કરવામાં આવ્યો છે. આ શો 20 દિવસ પછી થવાનો હતો. કુણાલ કામરાએ પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે અને નિશાન સાધ્યું છે. કોમેડિયન કુણાલ કામરાનો બેંગલુરુમાં યોજવામાં આવી રહેલ કોમેડી શો રદ કરવામાં આવ્યો છે. તેણે પોતે જ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ વ્યંગાત્મક રીતે લખેલા ટ્વીટમાં તેણે કહ્યું કે તેને લાગે છે કે તેને કોરોનાના નવા વેરિયન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે.

કુણાલે લખ્યું, હેલ્લો બેંગ્લોરના લોકો. મને જણાવતા આનંદ થાય છે કે બેંગ્લોરમાં આગામી 20 દિવસ માટેના મારા શો રદ કરવામાં આવ્યા છે. તેઓ બે કારણોસર રદ કરવામાં આવ્યા છે. પ્રથમ, અમને એવી ઇવેન્ટમાં 45 લોકોને બેસવા માટે વિશેષ પરવાનગી મળી ન હતી જ્યાં તે વધુ લોકોને સમાવી શકે. બીજું, જો હું ત્યાં શો કરીશ તો સ્થળને બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી છે. મને લાગે છે કે આ કોવિડ પ્રોટોકોલ અને નવી માર્ગદર્શિકાનો પણ એક ભાગ છે. મને લાગે છે કે મને હવે એક પ્રકારના વાયરસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કામરાએ કહ્યું કે હવે જ્યારે ફારૂકી પછી તેના શો પણ રદ કરવામાં આવ્યા છે, આ સાબિત કરે છે કે શાસક વર્ગ ઓછામાં ઓછી સમાનતા સાથે દમન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Cancelling comedy shows 101.

Shah Jina