બોલીવુડમાં હિટ ફિલ્મ આપનાર આ એક્ટર અમેરિકાના પાગલખાના ભેગો થયેલો હતો, સમગ્ર વિગત જાણીને વિશ્વાસ નહિ આવે, ફિલ્મોને ટક્કર મારે એવી સ્ટોરી

બોલિવૂડ એ શહેર છે જ્યાં માયા મળતાં જ સંબંધો અને મિત્રતા ધૂંધળી થવા લાગે છે. જો કે નવા યુગમાં લોકોની ઉદારતા અને મિત્રતાની વાર્તાઓ ગુંજતી રહે છે, પરંતુ એવી ઘણી ઘટનાઓ જોવા મળશે જ્યારે આ માયાનગરીના નિર્દય વલણે સ્ટાર્સને સમય પહેલાં ડૂબવા માટે મજબૂર કરી દીધા હતા, જેમના તેજથી આ શહેર એક સમયે ગુંજી ઉઠતું હતું.આજે વાત થઈ રહી છે એક એવા અભિનેતાની જેની જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. અમે વાત કરી રહ્યા છીએ 80-90ના દાયકાના એક્ટર રાજ કિરણની, આજે તે ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તે કોઈ નથી જાણતું.

રાજ કિરણે 80ના દાયકામાં પ્રખ્યાત નિર્દેશક બીઆર સાથે કામ કર્યું હતું. ફિલ્મ ‘કાગઝ કી નાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રાજ કિરણ બોલિવૂડના લિજેન્ડરી એક્ટર ઋષિ કપૂર સાથે ફિલ્મ ‘કર્જ’માં પણ જોવા મળ્યા હતા. આ સાથે તેમણે ‘બસેરા’, ‘અર્થ’, ‘રાજ તિલક’ વગેરે જેવી બીજી ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી હતી. રીપોર્ટ્સ અનુસાર, 90ના દાયકામાં રાજ કિરણનો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો. રાજ કિરણને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું અને તેમની આખી ફિલ્મી કારકિર્દી ખોરવાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં રાજ કિરણ ટીવી ઈન્ડસ્ટ્રી તરફ વળ્યા અને શેખર સુમન સાથે ફેમસ ટીવી સિરિયલમાં દેખાયા.

કહેવાય છે કે ત્યાં સુધીમાં રાજ કિરણ સંપૂર્ણપણે ડિપ્રેશનમાં સપડાઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાને મુંબઈની ભાયખલા મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ પછી રાજ કિરણ ક્યાં છે તે લાંબા સમય સુધી કોઈને ખબર ન હતી. કેટલાક સમાચારોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે અમેરિકા ગયા છે અને વિસ્મૃતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી દીપ્તિ નવલે રાજ કિરણને શોધવા માટે એક અભિયાન શરૂ કર્યું.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘હું ફિલ્મ જગતમાંથી મારા મિત્ર રાજ કિરણને શોધી રહી છું, મેં સાંભળ્યું છે કે તે ન્યૂયોર્કમાં કેબ ચલાવે છે. જો કોઈની પાસે કોઈ માહિતી છે તો મને જણાવો. એવું કહેવાય છે કે આ પછી ઋષિ કપૂરને 2011માં અમેરિકા જવું પડ્યું જ્યાં રાજ કિરણના ભાઈ ગોવિંદે તેમને કહ્યું કે રાજ એટલાન્ટામાં માનસિક આશ્રયમાં સારવાર કરાવી રહ્યા છે. જો કે, આ ઘટનાને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ રાજ હવે કઈ સ્થિતિમાં છે તે કોઈને ખબર નથી.રાજ કિરણનું સાચું નામ રાજ કિરણ મહેતાણી છે.

તેમણે 1975માં આવેલી ફિલ્મ કાગઝ કી નાઓથી સારિકા સાથે કરિયરની શરૂઆત કરી હતી. રાજ કિરણે લગભગ 125 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેણે વિવિધ પ્રકારના પાત્રો કર્યા છે, પરંતુ થોડા સમય પછી તેની કારકિર્દીમાં ઉતાર ચઢાવ આવ્યો અને તે નાના પડદા તરફ વળ્યા. અહીં પણ તેનો સિક્કો ન ચાલી શક્યો. કરિયરમાં નિષ્ફળતાનો સામનો કરી રહેલા રાજ કિરણ અચાનક ક્યારે અને ક્યાં ચાલ્યા ગયા તેની ખબર જ ન પડી. સમાચાર એવા પણ હતા કે રાજ કિરણ ન્યૂયોર્ક સિટીમાં ટેક્સી ચલાવતો જોવા મળ્યો હતો.

પરંતુ સત્ય ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યુમાં જાહેર કર્યું હતું કે રાજ કિરણના ભાઈ ગોવિંદને તેમને કહ્યું હતું કે રાજ કિરણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે પરેશાન થવું પડ્યું છે. ઋષિ કપૂરે તેcને બોલિવૂડમાં પાછા લાવવા અને કામ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઋષિ કપૂરના ચોંકાવનારા ઘટસ્ફોટ પછી તે પાછા ફર્યા નહીં. પુત્રી રિશિકા મહેતાનીએ પણ કહ્યું હતું કે તેના પિતા છેલ્લા કેટલાક સમયથી તેની સાથે હતા પરંતુ હવે તે ગાયબ છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેને તેના પરિવાર તરફથી મળેલી છેતરપિંડીથી તે ડિપ્રેશનમાં આવી ગયા હતા. મામલો ગમે તે હોય, આ પ્રખ્યાત સ્ટાર આજે ક્યાં છે તે કોઈને ખબર નથી.

Shah Jina