સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ મહાકાળી માતાજીના ચરણોમાં ઝુકાવ્યું માથું, પાવાગઢમાં દર્શન સમયે ખુશ ખુશાલ જોવા મળી ગાયિકા.. જુઓ

છેલ્લા થોડા દિવસથી આખા ગુજરાતની અંદર ચાર ચાર બંગળી ગીત દ્વારા લોકોના દિલમાં એક અનેરી જગ્યા બનાવનારી અને જેના ગીતોની ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે એ સૂરીલી ગાયિકા કિંજલ દવે તેની સગાઈ તૂટવાના કારણે ચર્ચામાં છે. કિંજલ દવેએ હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન નથી આપ્યું. પરંતુ હવે તેને તેના પ્રોફેશનલ જીવનમાં ફરીથી કમબેક કરી ચુકી છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ જોવા મળે છે.

ત્યારે હાલમાં જ કિંજલ દવે પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને પહોંચી હતી. આજે ગરૂવારના દિવસે કિંજલ દવે પોતાના કામ અર્થે પાવાગઢ આવી હતી અને ત્યાંથી તે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પણ પહોંચી હતી. જ્યાં તેને ગબ્બર પર બિરાજતા મહાકાળી માતાજીના ચરણોમાં માથું પણ ટેકવ્યું હતું. આ દરમિયાન કિંજલ ખુશ ખુશાલ જોવા મળી રહી હતી.

કિંજલ દવેએ માતાજીને ફૂલોનો થાળ પણ અર્પણ કર્યો હતો અને આ દરમિયાન તે ઝુમતા ઝુમતા માતાજીના દર્શન કરવા માટે પહોંચી હતી. આ મુલાકાતને લઈને કિંજલ દવેએ મીડિયાને જણાવ્યું હતું કે તે પાવાગઢમાં કોઈ ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે આવી હતી અને અહીંયા આવીને તેને માતાજીના દર્શનનો લ્હાવો લઇ, મહાકાળી માતાજીના ચરણોમાં શીશ નામાવવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.

કિંજલે એમ પણ જણાવ્યું કે મારા માટે માતાજીના દર્શન કરવાની તક મળવી એ પણ અહોભાગ્યની વાત છે. માતાજીના આશીર્વાદ મળ્યા અને ધન્યતા અનુભવી. ત્યારે સોશિયલ  મીડિયામાં પાવાગઢમાં કિંજલ દવેની મુલાકાતની તસવીરો અને વીડિયો પણ હવે ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ આજથી 5 વર્ષ પહેલા થઇ હતી. બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ પણ જોવા મળતું હતું અને વારે તહેવારે તેમજ વિવિધ પ્રસન્ગો ઉપરાંત પ્રવાસ દરમિયાન પણ બંને સારો સમય પસાર કરતા હતા. તેમની તસવીરો પણ પોસ્ટ  કરતા હતા પરંતુ હવે સગાઈ તૂટી ગયા બાદ તેમને સોશિયલ મીડિયામાંથી એક બીજા સાથેની તસવીરો પણ ડીલીટ કરી દીધી છે.
Niraj Patel