આજે જાણો માતા ખોડલનો રસપ્રદ ઇતિહાસ, અને તેમના પ્રાગટ્યની કથા..જે લોકવાયકામાં ખૂબ જ પ્રચલિત છે. માતા ખોડલનો જન્મ ચારણ ના કુળમાં થયો છે. માતા ખોડલ ને સાત બહેનો અને એક ભાઈ હતા. તેમના માતાનું નામ આઈ દેવળ અને પિતાનું નામ મામાળિયા ચારણ હતું.

ભાવનગર જિલ્લાના રોહિસાળા ગામમાં એક ચારણ રહેતો હતો. તે ચારણ રાજ કુળનો ચારણ હત રોજ રજાના દરબાર તે ચારણ જાતો ને દયારા કરતો હતો, આ મામળિયા ચારણ હતો વાંઝિયો એટ્લે રાજાની રાણીએ રાજાના કાને વાત નાખી કે વાંઝિયા ચારણનું રોજ મોઢું જોઈએ છીએ એટ્લે આપણે ત્યાં પણ કોઈ જ સંતાન નથી.અને આ વાત રાજા ને ગળે ઉતરે છે ને રાજાએ મામળીયા ચારણનું અપમાન કર્યું ભર્યા દરબારમાં ને વાંઝિયો ચારણ કહી દરબારમાં ન આવવા જણાવે છે. મામલીયા ચારણને માથું લાગ્યું તેણે શિવ તપસ્યા કરી ને શિવ તપસ્યા થી પ્રસન્ન થઈ ને શિવજીએ સાત દીકરીઑ ને પછી એક દીકરાનું વરદાન આપ્યું.
સમય જતાં ચારણના ઘરે એક પછી એક દીકરીઓ એમ કુલ સાત દીકરીઑ ને એક દીકરાનો જન્મ થાય છે. સાતેય દીકરીઓના નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલાઈ જાનબાઈ અને સોસાઈ પાડવામાં આવ્યા. પછી એક દીકરો જન્મ્યો. ચારણનું ઘર તો સાતેય બાળકોથી હર્યું ભર્યું થઈ ગયું. દિવસે ને દિવસે સાતેય ભાઈ બહેનો મોટા થવા લાગ્યા. આડોશ પાડોશમાં જો રમવા જાય તો લોકો એમને રમતા જોઈને પણ રાજી રાજી થઈ જતાં.એવો એમનું બાળપણ હતું.

એકવાર આ સાતેય બહેનોના ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો, મેરખિયો પોતે નાગકુળનો અવતાર હતો. એટ્લે જો ઇનો જેવ બચાવવો હોય તો પાતાળ લોકમાંથી અમૃતકુંભ લાવવો પડે અને એ લેબા માટે તેમના માતા દેવળબા જાન બાઈને પાતાળલોક મોકલે છે.
સૂર્યોદય થવા આવ્યો પણ જાનબાઈ આવ્યા નહી એટ્લે એમના માથાથી બોલાઈ ગયું કે ક્યાક ખોડાઈ તો નથી ગઈ ને..હજી ન આવી. આ સાંભળી જાન બાઈના પગ બારણાં પાસે જ ખોડાઈ જાય છે. બસ ત્યારથી નામ પડ્યું ખોડિયાર..ને એ જ સમયે દેવી ખોડીયાર મગર પર સવાર થઈને આવ્યા હતા. તેમણે મગર પર સવાર થઈને જ પોતાના ભાઈને અમ્રુતકુંભથી સજીવન કર્યો હતો.

દરેક જ્ઞાતીના લોકો માતા ખોડિયાર ને પૂજે છે. માતા માં દર્શન કરી પોતાના મનની મનોકામના પૂરી કરે છે. રોજ લાખો શ્ર્ધાળુઓ માતા ખોડિયરના ધામ માટેલ અને રાજપરા ગામે આવે છે, હોમ હવન કરી ધન્યતા અનુભવે છે. માતા ખોડિયાર તેમના આશીર્વાદથી દરેક દૂખિયાના દુખ હરે છે ને એક પોકારે જ હાજરા હજૂર પહોંચી જાય છે,
માટેલ ધામનું આ ખોડિયાર મંદિર એક વરખડીના ઝાડ નીચે આવેલ છે. જે મુખ્ય આસ્થાનો વિષય છે. તેમજ આ મંદિરમાં માતા ખોડિયાર ના હાથમાં એક ત્રિશુળ છે જે વધે છે. આ ત્રિશુળ ત્રાણ વર્ષે એક ઇંચ જેટલું વધી રહ્યું છે, તેમજ અહીંયા એક માટેલ ધારો પણ છે. જે ભક્તો માતા ખોડિયારાના દર્શન કરવા આવે છે એ આ ધારાના પણ દર્શન કરવા જાય છે ને ધારાનું પાણી પોતાના માથે ચડાવી ધન્યતા અનુભવે છે, આ ધારાનું પાણી ક્યારેય બગડતું નથી કે દુકાળમાં પણ ખૂટતું નથી. આ પાણી એકદમ ચોખ્ખું જ રહે છે, એવું કહેવાય છે કે આ ધરાની અંદર માતા ખોડિયારનું સોનાનું મંદિર સમાયેલ છે.

માટેલ ગામનું આ મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. આ મંદિર જવા માટે તમારે મોરબી થઈને અથવા તો વાંકાનેરઉપર થઈને પણ જઈ શકો છો. આ મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે, એક સ્થાનક સોના ચાંદીના છત્ર અને જુમરથી સજ્જ છે. આહીનયા ભક્તો પ્રસાદમાં સુખડી ને લાપસી નો પ્રસાદ ઍરણ કરે છે ને ચુંદડી ને ચાંદલો ચડાવે છે ને મનોકામના પૂર્ણ કરવા માતાને પ્રાર્થના કરે છે.
અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર,આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર,ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.
નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ,ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર.
ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર.
તું તાતણિયા ધરાવાળી, દર્શન દઈ સુખ દેનાર,ટાળતી દુઃખ જો અનેકના, ખમકારી ખોડિયાર.
સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાં વાસ,મડદાં તું ઉઠાડતી મા, ખમકારી ખોડિયાર.
ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત,પરચા પૂર્યા તેં ઘણાં, થઈ જગતમાં વિખ્યાત.
ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર,ત્રિશૂળ તેજસ્વી હાથમાં, દિવ્ય જેનો ચમકાર.
ત્રિશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર,લોબડીઆળી આઈ તું, સહુને સુખ દેનાર.
મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,જે ભાવે જે જે ભજે, તેને દર્શન દે સાક્ષાત્.
ધરા ધરામાં વાસ તારો, ત્રિશૂળ કર્યું નિશાન,ગિરિ-ડુંગરે વાસ તારો, પરચા તારા મહાન.
વાંઝિયા-મેણું ટાળવા, અવતર્યાં ચારણ ઘેર,કર્યો મા તેં કુળ ઉદ્ઘાર, ખમકારી ખોડિયાર.
જન્મ્યાં મોમડિયાને ઘરે, છ બહેનોની સંગાત,લાગી ખોડી કે,તાતને, પણ થઈ તું જગવિખ્યાત.
ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ,પરચા કઈ જોવા મળ્યા, રા,નવઘણને સાચ.
ખોડલ કેરી સહાયથી, જો દરિયો ઓળંગાય,સમરે જેહ જે ભાવથી, કામ તેના સફળ થાય.
દર્શન દીધાં રા, રાયને, ખોડલ માએ સાક્ષાત્,ધન્ય બની ગયું જીવન, જગમાં થયો વિખ્યાત.
ત્રણ વરસની ઉંમરે, પરચા પૂરતી માય, હતી વરોળી વાંઝણી, થઈ દૂઝતી ગાય.
સોના-રૂપાની છડી પર, લાલ ધજા અનુપમ, પૂજે ખોડિયાર માતને, વલ્લભીપુરના ભૂપ.
ખોડલ કેરી કૃપાએ, નિરોગી થયો રાજકુમાર, રોગ-દોગ સૌ ચાલી ગયા, થયું મુખ તેજ અંબાર.
શિહોરા કેરા ડુંગરે, કર્યો ખોડલ વાસ, રંક રાય સૌ નમન કરે, મા પૂરે સૌની આશ.
નેક ટેક વ્રત શ્રદ્ઘાથી, મે,રબાન ખોડલ થાય, પંગુ વરજાંગ સુતને જો, ચડાવ્યો ડુંગર ક્ષણમાંય.
એ પ્રતાપી મા ખોડલે, કર્યો પ્રચંડ પડકાર, ધુણાવ્યો ધુંધળીનાથને, પરચાળી તું ખોડિયાર.
એ…..ધૂણે મંડ્યો ધૂણવા, ધૂંધળી જોગંદર, માએ વગડાવ્યાં ડાકલાં, ધૂણે ધાંધલપર.
કોળાંભા સદભાગી, કમળાઈ ડુંગરનું નામ, દર્શનથી દુઃખડાં ટળે, મા ખોડિયારનું ધામ.
હઠીસિંગ કુમતિયો થયો, અત્યાચાર કર્યો અમાપ, મા કન્યાએ તવ કૃપાથી, ભસ્મ કીધો એ ભૂપ.
તાંતણિયા ધરા પાસે, ખોડલે કર્યા ધામ, ભાવનગર નૃપતિઓનાં, મા કરતી સદા કામ.
ચિંતા વિઘ્ન વિનાશિની, ત્રિશૂળ હસ્ત ધરંત, હે ખોડલ મા દયાળી, તું ભક્ત રક્ષા કરંત.
મા ખોડલ, મા દયાળી, જોને કરતી સહાય, શરણાગત-રક્ષા નિત, જોને કરતી માય.
અંધને દેખતાં કરે, વાંઝિયાને આપે બાળ, પરચા અપરંપાર ખોડલ, તું છે દીનદયાળ.
ખોડલ ખોડલ જે કહે, ને ઘરે નિરંતર ઘ્યાન, તેની સહાયે સર્વદા રહે, તું ખોડલ માત.
દીન વત્સલ ખોડિયારની, કૃપા નજર જો થાય, તો તૃણનો મેરુ બને, મૂંગો મંગળ ગાય.
મોમડિયાની બાળને, ભજતા પાતક જાય, પાપ સરવ તેના ટળે, જીવન ઉન્નત થાય.
આધી-વ્યાધી સહુ પળે, ખોડલને દરબાર, આશા સહુ પૂરી કરે, ખમકારી ખોડિયાર.
ધાબડીયાળી માવડી, ખપ્પરવાળી ખોડિયાર, ખમકારો જો કરે તો, ભવનાં દુખડાં જાય.
ખોડલ સૌની માવડી, સંકટે કરે સહાય, તેને ભરોંસે નાવડી, ઊતરે પાર સદાય.
સહાય જેને ખોડિયારની, મનસા પુરણ થાય, હર પળે હાજર રહે એ, ખમકારી ખોડલ માય.
લંગડાં બને સાજાં નરવાં, મા ખોડલને પ્રતાપ, રોગી કૈંક થાય નિરોગી, મા ખોડલને પ્રતાપ.
લૂલાં લંગડાં ને દુખિયાં, આવતા માને દ્વાર, હેતથી હસી રાજી કરી, ખોડલ કરતી વહાર.
ખોડલ સૌની માવડી, વિપત્ત કરજે સહાય, બિરુદ તારું જાય ના, ભરજે ના પાછો પાય.
‘મા’ ની લીલાનો નહિ પાર, જેનાં ઠેર ઠેર ધામ, ‘મા’ ના ગુણ ગાવાનો નહિ પાર, હૈયે એનું નામ.
**** બોલ શ્રી ખોડિયાર માતની જય ****