સમગ્ર દેશમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એક અકસ્માતનો ઘણો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બસ પલટી જતાં 8 લોકોના મોત થયા હતા અને 20થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો જેના કારણે અકસ્માત થયો હતો. બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી 8ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોમાં કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ખાનગી બસમાં સવાર હતા. આ અકસ્માત શનિવારે સવારે પાવાગડા શહેર નજીક પાલવલ્લી કેટ્ટે ગામમાં થયો હતો. બસની ઝડપ વધુ હતી અને આ દરમિયાન ડ્રાઈવર બસ પર કાબુ ન રાખી શક્યો અને અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને 20-25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૃતકોની લાશ રસ્તા પર વિખરાયેલી મળી હતી. માહિતી મળતાં જ પાવાગડા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની મદદથી ઘાયલોને તુમાકુરુ અને પાવાગડા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ડ્રાઈવરની બેદરકારી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ટ્વિટ કર્યું કે “કર્ણાટકના તુમકુરમાં બસ દુર્ઘટનામાં જાનહાનિ વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું.
Karnataka | Eight dead and more than 20 critically injured including students as a bus overturned near Pavagada in Tumkur district: Tumkur Police
Further details awaited. pic.twitter.com/9fNqWD1r6T
— ANI (@ANI) March 19, 2022
શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું,” કર્ણાટકના તુમકુર જિલ્લાના પાવાગડા પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ પહેલા મંગળવારે કર્ણાટકના વિજયનગર જિલ્લામાં બનેવીકલ્લુ ખાતે નેશનલ હાઈવે 50 પર એક વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. વાહનમાં સવાર તમામ મુસાફરો રામેશ્વરમ જઈ રહ્યા હતા.
Extremely sad to hear about #BusAccident in #Karnataka‘s #Tumkur district.
At least 8 lost their lives while over 20 injured.
Please pray for them 🙏#ACCIDENT pic.twitter.com/uU81FIqkq6— Manisha Yadav (@Manisha9781) March 19, 2022
ગયા અઠવાડિયે, કલબુર્ગીમાં પણ એક માર્ગ અકસ્માત થયો હતો, જ્યારે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મૃતકો મહારાષ્ટ્રના અમદનગરના રહેવાસી હતા અને ગંગાપુરના દત્તાત્રેય મંદિરથી પરત ફરી રહ્યા હતા.