બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા વચ્ચે કરીના કપૂર ખાન આખરે બોલી….એવી વાત કહી કે વિશ્વાસ નહિ આવે

ફિલ્મકાર કરણ જોહરનો ચેટ શો “કોફી વિથ કરણ સિઝન 7” 7 જુલાઇથી ઓન એર થયો હતો. જણાવી દઇએ કે, આ શોમાં બોલિવુડ સ્ટાર્સ તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલ ઘણા ખુલાસા કરે છે. આ કોફી શોના પહેલા ગેસ્ટ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ બન્યા હતા. ત્યાં આ અઠવાડિયે આમિર ખાન અને કરીના કપૂર ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન કરણ જોહરે બંનેને તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછ્યા. આ શો દરમિયાન કરીના કપૂરે તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ વિશે ઘણા મોટા ખુલાસા કર્યા.

આ દિવસોમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં કરીના અને આમિર ખાન ફિલ્મના પ્રમોશન માટે કોફી વિથ કરણ શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે કરણ જોહરે કહ્યું કે, મને નથી લાગતું કે કરીનાને ફિલ્મની સફળતા અને નિષ્ફળતાની અસર થાય. કરીનાને આમાં કોઈ રસ નથી. તે પોતાની દુનિયામાં ખુશીથી જીવે છે. જો ફિલ્મ સારી ચાલે અથવા તો સારી ન હોય તો તેને વાંધો નથી. આ અંગે કરીના કંઈ ખાસ કહેતી નથી.

આના પર આમિર ખાને અભિનેત્રીનો બચાવ કર્યો હતો. આમિર ખાને કહ્યું કે, ‘કરીના કપૂર ઘણીવાર તેની ફિલ્મને લઈને ચિંતિત રહે છે. તે મને ઠપકો પણ આપે છે કે આવું કેમ ન થયું તે કેમ ન થયું. આ અંગે કરણ જોહર કહે છે કે કરીના કપૂર તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ભાગ્યે જ જોશે. આના પર કરીના કપૂર કહે છે કે ‘હા, હું મારી ફિલ્મો ક્યારેય જોતી નથી’. આના પર આમિરે કહ્યું, ‘આ એટલી ખુશીની વાત નથી કે તમે ગર્વથી કહો છો’. આ અંગે કરીના કહે છે, ‘હું પણ ફિલ્મને લઈને નર્વસ છું.

મને 4-5 મહિના પછી જોવાનું ગમે છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. #BoycottLaalSinghChaddha સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. ત્યાં દર્શકોની આ બહિષ્કારની પ્રતિક્રિયાથી આમિર ખાન ખૂબ જ દુખી હતો. લોકોની પ્રતિક્રિયા બાદ આમિર ખાને લોકોને વિનંતી કરી હતી કે તેઓ તેમની ફિલ્મનો બહિષ્કાર ન કરે.

Shah Jina