ભારતના આ મંદિરને બનાવવામાં લાગ્યા હતા 100 વર્ષ, 7 હજાર મજૂરો લાગ્યા હતા કામે

હિન્દુ ધર્મમાં ભગવાન અને મંદિરોનું ઘણું મહત્વ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે, ભગવાન જ આ સૃષ્ટિનું સંચાલન કરે છે. પૃથ્વી પર બધું તેની ઇચ્છાને કારણે થાય છે. જોકે હિન્દુ ધર્મની માન્યતા એવી છે કે ભગવાન દરેક જગ્યાએ હાજર છે, પરંતુ ભારતની સંસ્કૃતિ એવી છે કે તમને અહીંયા જગ્યાએ-જગ્યાએ જુદા જુદા દેવોના મંદિરો જોવા મળશે. તે સદીઓથી ચાલી રહ્યું છે કે લોકો તેમની શ્રદ્ધાથી મંદિરો બનાવે છે.

આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ અજાયબીથી ઓછું નથી. એવું કહેવાય છે કે આ મંદિરને બનાવવામાં 100 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો અને તેના નિર્માણમાં લગભગ 7000 મજૂરો કામે લાગ્યા હતા. તો ચાલો જાણીએ આ મંદિરની વિશેષતા.

હકિકતમાં, આ મંદિર મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં આવેલી ઈલોરા ગુફાઓમાં સ્થિત છે, જે ઈલોરાના કૈલાશ મંદિર તરીકે ઓળખાય છે. 276 ફૂટ લાંબા અને 154 ફૂટ પહોળા આ મંદિરની ખાસિયત એ છે કે તેને માત્ર એક ખડક કાપીને બનાવવામાં આવ્યું છે. જો આપણે ઉંચાઈ વિશે વાત કરીએ, તો આ મંદિર કોઈપણ બે કે ત્રણ માળની ઇમારતની બરાબર છે. આ ભવ્ય મંદિર જોવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના લોકો અહીં આવે છે.

એવું કહેવાય છે કે, આ મંદિરના નિર્માણમાં આશરે 40 હજાર ટન વજનના પથ્થરો કાપવામાં આવ્યા હતા. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે હિમાલયના કૈલાસ જેવું તેનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે જે રાજાએ તેને બનાવ્યું હતું તે માનતા હતા કે જો કોઈ વ્યક્તિ હિમાલય સુધી પહોંચી શકતો નથી, તો તેણે અહીં આવીને તેના આરાધ્ય દેવ ભગવાન શિવના દર્શન કરવા જોઈએ.

આ મંદિરનું નિર્માણ કાર્ય માલખેડ સ્થિત રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ (પ્રથમ) (757-783 એડી) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તેને બનાવવામાં 100 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો અને લગભગ 7000 મજૂરોએ આ મંદિરના નિર્માણમાં રાત -દિવસ યોગદાન આપ્યું હતું. આ મંદિરમાં આજ સુધી ક્યારેય પૂજા કરવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી. આજે પણ અહીં કોઈ પુજારી નથી. યુનેસ્કોએ 1983માં જ આ સ્થળને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ જાહેર કરી હતી.

Niraj Patel