4500 કરોડના આલીશાન જય વિલાસ પેલેસમાં 400 રૂમ, સપનાના મહેલમાં શાહી ઠાઠથી રહે છે જ્યોતિરાદિત્ય સિંધિયા

400 રૂમના આલીશાન મહેલમાં રહે છે સિંધિયા, સોનાની સજાવટ અને ચાંદીની ટ્રેન, તસવીરો જોઇ તમે પણ રહી જશો હક્કાબક્કા

ભારત રાજાઓ અને મહારાજાઓનો દેશ રહ્યો છે. અહીં એકથી એક ચઢિયાતા પ્રતાપી અને ધનવાન રાજા થયા છે. જેની સંપત્તિ આજના સમયમાં કરોડો-અજબોમાં છે. આ રાજાઓમાંના એક છે જયાજીરાવ સિંધિયા, જે ગ્વાલિયર રિયાસતના મહારાજા છે. તેમણે ઐતિહાસિક જયવિલાસ મહેલ બનાવ્યો હતો.

આજે જ્યોતિરાદિત્ય સિંધિયા આ મહેલમાં રહે છે. તેઓ ગ્વાલિયરના રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. જયવિલાસ પેલેસ જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા રહે છે તે 12 લાખ ચોરસ ફૂટથી વધુનો છે.

સાથે જ તેમને ગ્વાલિયરના શાહી રાજઘરાનાના વંશજના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. રોયલ ફેમીલીથી આવનાર જ્યોતિરાદિત્ય સિંધિયાનો મહેલ પણ રોયલ અને ખૂબસુરત છે. સિંધિયા જે મહેલમાં રહે છે તે 12,40,771 વર્ગફુટમાં ફેલાયેલો છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા જે પેલેસમાં રહે છે તેના એકમાત્ર માલિક છે.આ મહેલને મહારાજાધિરાજ જયાજીરાવ સિંધિયા અલીજા બહાદુરે 1874માં બનાવ્યો હતો. ત્યારે તેની કિંમત 1 કરોડ રૂપિયા હતી. આજે આ સુંદર શાહી મહેલની કિંમત વધીને 4000 કરોડ થઈ ગઈ છે. આ મહેલની ડિઝાઈન બ્રિટનના સર માઈકલ ફિલોસે તૈયાર કરી હતી.

આ વિશાળ મહેલ 1876માં ભારત આવેલા પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ મેરીના સ્વાગત માટે બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.જયવિલાસ પેલેસમાં 400 રૂમ છે. મહેલની છત પણ સોનાથી જડેલી છે. ત્રણ માળના મહેલની આંતરિક સજાવટ 560 કિલો સોનાથી જડેલી છે. તેના 40 રૂમ હવે મ્યુઝિયમ બની ગયા છે. મ્યુઝિયમમાં આવી ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે, જે સિંધિયા વંશની સમૃદ્ધિ દર્શાવે છે.

ત્યાં, તેઓ ઐતિહાસિક રીતે પણ મહત્વપૂર્ણ છે.તેમાં સિલ્વર બગ્ગી, ઝાંસી કી રાની કી છત્રી, તલવારો અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને શાહઆલમના સમયની વિન્ટેજ કારનો સમાવેશ થાય છે. આ મહેલની કિંમત વિશે વાત કરીએ તો તે 2 બિલિયન યુએસ ડોલરની નજીક હોવાનું કહેવાય છે. મહેલની ભવ્યતા જોવા લોકો દૂર-દૂરથી આવે છે.મહેલનો સૌથી મહત્વનો ભાગ દરબાર હોલ છે. આ હોલમાં મહારાજનો દરબાર ભરાયો હતો.

જ્યારે મહેલ બનાવવામાં આવ્યો ત્યારે તેની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા હતી. વર્તમાન અંદાજ મુજબ તેની કિંમત 4000 કરોડ રૂપિયા છે.સિંધિયા ઘરાનાને અપાર સંપત્તિના માલિક કહેવામાં આવે છે. આમાં જયવિલાસ પેલેસ ઉપરાંત દિલ્હીના સિંધિયા વિલા, ગ્વાલિયર હાઉસ વગેરે સામેલ છે. જોકે, આ મિલકતને લઈને પારિવારિક વિવાદ પણ વર્ષોથી ચાલી રહ્યો છે.જયવિલાસ મહેલના મ્યુઝિયમમાં અન્ય એક પ્રખ્યાત વસ્તુ,

જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે અને તે છે ચાંદીની રેલ, જેના પાટા ડાઇનિંગ ટેબલ પર નિશ્ચિત છે અને આ રેલ ખાસ તહેવારોમાં ભોજન પીરસવા પર ચાલે છે. ભારતીય નાગરિકોએ અહીં ફરવા માટે વ્યક્તિ દીઠ 150 રૂપિયામાં ટિકિટ લેવી પડે છે, જ્યારે વિદેશી નાગરિકો માટે ટિકિટની કિંમત 800 રૂપિયા છે.સિંધિયા પરિવારને હજુ પણ રાજવી પરિવાર માનવામાં આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરના મહારાજા છે. પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા રાણી છે, જ્યારે પુત્રો મહાઆર્યમન રાજકુમાર છે અને અનન્યા રાજકુમારી છે.

Shah Jina